સગા બાપે જ બે દીકરીઓને કુહાડીથી રહેસી નાખી- સવારે સાસરે જવાની હતી પણ… વાંચો રુવાડા બેઠા કરતી ઘટના

Published on Trishul News at 5:40 PM, Tue, 4 April 2023

Last modified on April 4th, 2023 at 5:41 PM

નાગૌરમાં એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ કુહાડી વડે સૂઈ રહેલા તેના જ પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. કુહાડીના હુમલાથી 2 દીકરીઓના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. ત્યારે પત્ની અને મોટી દીકરીનો પુત્રને ખુબજ ગંભીર ઈજાઓ પહોંચી છે.

મળેલી માહિતી અનુસાર, નાની દીકરી મંગળવારે તેના સાસરે જવાની હતી, દીકરી રાત્રે હાથ પર મહેંદી લગાવીને સૂઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના લગભગ રાત્રે 2 વાગ્યા આસપાસ સર્જાય હતી અને આ ઘટના નાગૌર જિલ્લાના પરબતસર પોલીસ સ્ટેશન વિસ્તારના દિલધણીની છે.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તરત જ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. પોલીસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મનરામ (ઉંમર વર્ષ 57) માનસિક રીતે બીમાર હતો. નાની દીકરી રેખા (20)ના બરુમાં લગ્ન હતા, તે સવારે તેના સાસરે જવા નીકળવાની હતી. આથી મનરામની મોટી પુત્રી મીરા (ઉંમર વર્ષ 26) તેના 7 વર્ષના પુત્ર પ્રિન્સ સાથે પિયર આવી હતી. નાની દીકરીને સાસરે મોકલવા માટે ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી.

સોમવારે રાત્રે આખો પરિવાર તૈયારી કરીને સુઈ ગયો હતો. મનારામ સવારે લગભગ 2 વાગ્યાની આસપાસ જાગી ગયો અને ઘરમાં રાખેલી કુહાડી વડે બંને પુત્રીઓ, દોહાઈત અને તેની પત્ની કેસર (ઉંમર વર્ષ 50) પર હુમલો કરવા લાગ્યો. હુમલામાં બંને દીકરીઓ રેખા અને મીરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે કેસર અને પ્રિન્સ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ એ બંનેને અજમેર સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

હુમલા બાદ ઘરમાંથી ચીસોના અવાજ આવતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘરમાં લોહીના છાંટા પડ્યા હતા. આ સમગ્ર માહિતી મળતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી અને સ્થળનું નિરીક્ષણ કર્યું. પોલીસે આરોપી પિતાની અટકાયત કરી છે. પોલીસ આરોપી પાસેથી હત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે, આરોપી મનરામ 10 વર્ષ પહેલા ખાણમાં કામ કરતી વખતે પડી ગયો હતો. ત્યારથી તે માનસિક રીતે બીમાર છે. તેનો સ્વભાવ પણ આક્રમક હતો અને અપશબ્દો બોલતો હતો. પડોશીઓએ જણાવ્યું કે સોમવારે સાંજ સુધી બધું બરાબર હતું. માતા સહિત બંને બહેનોએ ઘરના આંગણામાં બેસીને મહેંદી લગાવી હતી, પરંતુ અચાનક મનરામને શું થયું કે તેણે મોડી રાત્રે સૂતેલા પરિવાર પર કુહાડી વડે હુમલો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "સગા બાપે જ બે દીકરીઓને કુહાડીથી રહેસી નાખી- સવારે સાસરે જવાની હતી પણ… વાંચો રુવાડા બેઠા કરતી ઘટના"

Leave a comment

Your email address will not be published.


*