મોતનું કારણ બન્યા જુગારી મિત્રો- ગાંધીનગરમાં ખેલાયેલા ખૂની ખેલમાં આધેડની કણપીણ હત્યા

Published on Trishul News at 11:31 AM, Tue, 16 August 2022

Last modified on August 16th, 2022 at 11:44 AM

હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ વધુ એક હત્યાની ચકચારી ઘટનાના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, ગાંધીનગર (Gandhinagar)ના કોલવડા(Kolwada) ગામથી સોનીપુર(Sonipur) તરફ જતાં હનુમાન મંદિર(Hanuman Temple) પાસેના ખેતરમાં મિત્રો સાથે જુગાર (gamble)ની બાઝી માંડીને બેઠેલા ગામના 49 વર્ષીય દિલીપસિંહ ભવાનજી વાઘેલા ઉપર ફાયરિંગ કરીને તીક્ષ્ણ હથિયારના આઠથી દસ ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. જેનાં પગલે પેથાપુર પોલીસ સહિત લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, ચારેક મહિના અગાઉ એક બોર કૂવા ઉપર દારૂની મહેફિલ દરમિયાન યુવતી બાબતે માથાકૂટ થતાં એક પોલીસ જમાદાર, દસાડાનાં રાજકીય અગ્રણી તેમજ અન્ય એક વ્યક્તિને લાકડીઓ વડે ઢોર માર મારવાના પ્રકરણમાં મરનાર દિલીપસિંહ વાઘેલાનું નામ બહાર આવ્યું હતું.

ખેતરમાં જુગારની બાઝી માંડીને બેઠા હતા:
મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના કોલવડા ગામથી સોનપુર તરફ હનુમાન મંદિર પાસેના ખેતરમાં કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠા હતા. એ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થતાં ગામનાં દિલીપસિંહ વાઘેલા પર રિવોલ્વર વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આટલું જ નહિ, આ પછી તીક્ષ્ણ હથિયારના આઠથી દસ ઘા ઝીંકીને ખૌફનાક હત્યા કરી દેવામાં આવી છે.

મિત્રોએ ઢીમ ઢાળી દીધાની આશંકા
આ અંગે જાણવા મળ્યું છે કે, દિલીપસિંહ વાઘેલા તેના કેટલાક મિત્રો સાથે જુગાર રમવા માટે બેઠો હતો. એ દરમિયાન કોઈ બાબતે માથાકૂટ થઇ હતી. જેનાં કારણે જુગાર રમતાં ઈસમો પૈકીના એકે ફાયરિંગ કર્યું હતું. જેનાં કારણે દિલીપસિંહનાં પેટના ભાગે ગોળી વાગી હતી. તેમ છતાં હત્યારાઓએ તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકીને દિલીપસિંહનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. બનાવના પગલે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.

દિલીપસિંહ સાથે ત્રણથી ચાર ઈસમો જુગાર રમી રહ્યા હતા
પોલીસે સ્થળનું પંચનામું કરીને મૃતકની લાશનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. દિલીપસિંહના પત્નીનું વીસેક વર્ષ અગાઉ બીમારીના કરનાર અવસાન થયું હતું અને ત્રણ સંતાનો પણ છે. જે પછીથી દિલીપસિંહે બીજા લગ્ન કર્યા હતા. આ બીજા લગ્નથી એક દિકરો પણ છે. દિલીપસિંહ વાઘેલા ઘોડા અને ભેંસોનો તબેલો ચલાવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "મોતનું કારણ બન્યા જુગારી મિત્રો- ગાંધીનગરમાં ખેલાયેલા ખૂની ખેલમાં આધેડની કણપીણ હત્યા"

Leave a comment

Your email address will not be published.


*