અંતિમ ક્ષણે પુત્ર અને પુત્રીએ મિલ્ખાસિંહને કાનમાં કહી હતી એવી વાત જે જાણીને ગમે એના આંખમાં આવી જશે આંસુ

Published on Trishul News at 6:14 PM, Sun, 20 June 2021

Last modified on June 20th, 2021 at 6:14 PM

ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહને ખબર નહોતી કે પોતે અંતિમ શાવ્સ લઇ રહ્યા હતા ત્યારે તેની જીવન સાથી નિર્મલ કૌર હવે આ દુનિયામાં નથી. છ દાયકા સુધી કદમ થી કદમ સાથે ચાલતી પત્ની નિર્મલ કૌર 13 જૂને કોરોના સામેના લડાઈમાં પરાજિત થઈ હતી. મિલ્ખા સ્વસ્થ થઈ રહ્યા હતા. તેમનું શરીર નબળું પડી ગયું હતું. તેથી જ પરિવારે વિચાર્યું કે જો તેઓને પત્નીના નિધનની વાત કરી તો તેઓને ભારે આંચકો લાગશે.

પરિવારે તેમને તેમની તંદુરસ્તી પછી જ નિર્મલના અવસાનની જાણ કરવાનું વિચાર્યું હતું, પરંતુ ભાગ્યએ અલગ નિર્ણય લીધો હતો. 18 જૂનની રાત્રે, નિર્મલાના વિદાય થયાના 5 દિવસ પછી, મિલ્ખા પણ દુનિયામાં થી ચાલ્યા ગયા. મિલ્ખાનો પુત્ર જીવ મિલ્ખા સિંહ સમજી ગયો હતો કે તેના પિતાનો અંતિમ સમય આવી ગયો છે. ડોક્ટરોએ સ્પષ્ટ કહ્યું હતું કે કોરોનાને કારણે ફેફસાં સંપૂર્ણ રીતે નુકસાન થયું છે.

મિલ્ખાની ઈચ્છાશક્તિ ખૂબ પ્રબળ હતી
જ્યારે મિલ્ખાનું બ્લડ પ્રેશર ઝડપથી ઘટવા લાગ્યું, ત્યારે પુત્ર જીવ અને પુત્રી મોનાએ તેના કાનમાં કહ્યું – પપ્પા, તમે પણ જ્યાં જઇ રહ્યા છો ત્યાં મમ્મી ગયા છે. તે સમયે મિલ્ખા ઇન્વેન્સીવ વેન્ટિલેટર પર હતા. આ સાંભળીને તેણે ખુલ્લી આંખોથી પ્રતિક્રિયા આપી અને પછી આંખો બંધ કરી. જીવ બોલ્યો- ‘અમે તેમને મમ્મીની વિદાયના સમાચાર મળે તેચુ ઈચ્છતા ન હતા. જો કે, તેમની ઇચ્છાશક્તિ ખૂબ જ મજબૂત છે.

મિલ્ખા કોરોના નેગેટિવ થયા હતા
મિલ્ખા કોરોના નેગેટીવ થઇ ગયા હતા. પણ ભગવાનને બીજું કંઈક મંજૂર હતું. પછી અમે વિચાર્યું કે છેલ્લી ક્ષણે, તેઓને આખી વાત જણાવવી જોઈએ. ‘મિલ્ખા 17 મેના રોજ કોરોના પોઝિટિવ હતા. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 31 મેના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ, 3 જૂને તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યા. પરિસ્થિતિ બગડતી રહી. દરમિયાન, 12 જૂને નિર્મલ કૌરનું નિધન થયું હતું. આ વાત 17 મી જૂને મિલ્ખાને જણાવી હતી.

અંતિમ યાત્રામાં હમસફર
મિલ્ખા સિંહના શનિવારે ચંદીગઢમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. છેલ્લી મુલાકાત વખતે તેમની પત્ની નિર્મલ કૌરની તસવીર મિલ્ખાના હાથમાં મૂકી હતી. નિર્મલ પણ એક ખેલાડી હતા. તે ભારતીય વોલીબોલ ટીમની કેપ્ટન રહી ચૂકી હતી. મિલ્ખા અને નિર્મલ કોરોના બનતા પહેલા સંપૂર્ણ ફીટ હતાં. 91 વર્ષનો મિલ્ખા રોજ જોગ કરતા હતા. જ્યારે દુખાવો થતો હતો ત્યારે પેઈન કિલર પણ ખાતા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અંતિમ ક્ષણે પુત્ર અને પુત્રીએ મિલ્ખાસિંહને કાનમાં કહી હતી એવી વાત જે જાણીને ગમે એના આંખમાં આવી જશે આંસુ"

Leave a comment

Your email address will not be published.


*