બોલીવુડ જગત સ્તબ્ધ: મિર્ઝાપુરમાં ‘લલિત’નો રોલ કરનાર દિગ્ગજ કલાકારનું હાર્ટએટેકથી થયું નિધન

‘મિર્ઝાપુર’ જેવી શ્રેષ્ઠ વેબસિરીઝ(Mirzapur webseries)માં લલિતનો રોલ કરનાર બ્રહ્મા મિશ્રા(Brahma Mishra) હવે નથી રહ્યા. દિવ્યેન્દુ શર્મા(Divyendu Sharma)એ ઇન્સ્ટાગ્રામ પર લલિતનો ફોટો શેર કરીને દુઃખદ સમાચાર…

‘મિર્ઝાપુર’ જેવી શ્રેષ્ઠ વેબસિરીઝ(Mirzapur webseries)માં લલિતનો રોલ કરનાર બ્રહ્મા મિશ્રા(Brahma Mishra) હવે નથી રહ્યા. દિવ્યેન્દુ શર્મા(Divyendu Sharma)એ ઇન્સ્ટાગ્રામ પર લલિતનો ફોટો શેર કરીને દુઃખદ સમાચાર શેર કર્યા છે. લલિતના રોલમાં સૌના દિલ જીતી લેનાર બ્રહ્માનું આટલી નાની ઉંમરે નિધન થવું દરેકને દુઃખી કરી રહ્યું છે. દિવ્યેન્દુ શર્માની પોસ્ટ કરીને કોઈ માની ન શકે કે તે હવે આ દુનિયામાં નથી.

દિલ બ્રહ્મા મિશ્રાએ ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું હતું, પરંતુ તેમને ઓળખ મિર્ઝાપુર 2 ના સાઈડ રોલથી મળી હતી. સિરીઝમાં તેના પાત્રને જોયા પછી, ભાગ્યે જ કોઈ એવું હશે જેણે તેના પર ધ્યાન ન આપ્યું હોય. એટલું જ નહીં, તેણે લલિતના પાત્રને તેની કારકિર્દીનું શ્રેષ્ઠ અને હિટ પાત્ર પણ ગણાવ્યું. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું કે આ તેના જીવનનો શ્રેષ્ઠ રોલ હતો.

સિરીઝમાં તેના પાત્રને એટલું પસંદ કરવામાં આવ્યું હતું કે તેના પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા. ભોપાલના રહેવાસી બ્રહ્મા મિશ્રાએ બાળપણથી જ એક્ટર બનવાનું સપનું જોયું હતું. 2013માં તેણે ફિલ્મ ‘ચોર ચોર સુપર ચોર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે અક્ષય કુમારની ફિલ્મ કેસરીમાં પણ ‘ખુદાદ ખાન’નો રોલ કર્યો હતો.

બ્રહ્મા મિશ્રા મનોજ બાજપેયીને પોતાના રોલ મોડલ માનતા હતા અને તેમની સાથે ફોટો ક્લિક કરવાની તક ગુમાવતા ન હતા. તેણે પોતે મનોજ બાજપેયીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેને પોતાનો રોલ મોડલ ગણાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *