કોરોના કાળથી બેરોજગાર થયેલા પરણિત યુવકે સુસાઇડ નોટ લખી જીવન ટુકાવ્યું- નાનકડી દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા

કોરોનાકાળમાં (Coronal period) મોટા ભાગના લોકોએ પોતાની નોકરીઓ (Job) ગુમાવી હતી. ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશની(Uttar Pradesh) રાજધાની લખનૌમાં(Lucknow) કોરોનાના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવનાર એક…

કોરોનાકાળમાં (Coronal period) મોટા ભાગના લોકોએ પોતાની નોકરીઓ (Job) ગુમાવી હતી. ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશની(Uttar Pradesh) રાજધાની લખનૌમાં(Lucknow) કોરોનાના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવનાર એક યુવકે ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો છે. મળતી માહિતી અનુસાર તે યુવક પરિણીત હતો તેમજ એક માસૂમ પુત્રીનો પિતા પણ હતો. મરતા પહેલા યુવકે તેની માતાના નામે એક ચિઠ્ઠી પણ મૂકી છે.

વાસ્તવમાં, લખનૌ શહેરના અલીગંજ વિસ્તારમાં રહેતો 30 વર્ષીય રત્નેશ, જે એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તે તેની પત્ની સૌમ્યા અને પુત્રી સાથે રહેતો હતો, ઘરમાં માતા અને પિતા શ્યામલાલ પણ સાથે રહેતા હતા. પરિવારના જણાવ્યા મુજબ, પુત્રની નોકરી કોરોનાના સમયગાળા દરમિયાન જતી રહી હતી. એ પછી ઘણા પ્રયત્નો પછી પણ મને કામ ન મળ્યું. ઘણી કોશિશ કરી, પરંતુ તેમ છતાં કમાણીનું કોઈ સાધન ન મળ્યું, ત્યારબાદ તે તણાવમાં રહેવા લાગ્યો હતો.

મળતી માહિતી અનુસાર, બનાવના દિવસે મોડી સવાર સુધી રત્નેશના રૂમનો દરવાજો ન ખૂલતાં પિતાએ પાડોશીઓને બોલાવીને દરવાજો તોડી નાખ્યો હતો, જ્યાં તેના પુત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જણાયું હતું. તેમજ બનાવના દિવસે યુવકની પત્ની અને પુત્રી માતાના ઘરે ગયા હતા.

યુવકે આપઘાત કરતા પહેલા તેણે એક ચિઠ્ઠી છોડી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘મા, મને માફ કરી દે. મારી દીકરીનું ધ્યાન રાખજે અને જે કામ હું આ જીવનમાં ન કરી શક્યો, તે આગામી જન્મમાં તમારો પુત્ર બનીને બધું જ પૂરું કરીશ.’ હાલ તો આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *