અમીર બનવું છે તો આજથી ફોલો કરો મુકેશ અંબાણીની આ વાતો

Published on Trishul News at 2:38 PM, Mon, 15 April 2019

Last modified on August 17th, 2019 at 7:59 AM

દરેક વ્યકિત સફળ બનવા ઇચ્છે છે. જો તમે પણ કામયાબ તથા સફળ થવા અને રૂપિયા કમાવવા ઇચ્છો છો તો તમને પણ લગન અને જુનુનથી ઘણી મહેનત કરવી પડશે.

તેની સાથે જ તમને સારી બાબતો અપનાવી પડશે. કારણ કે તમે કામયાબીના રસ્તા પર વધુ સારી રીતે આગળ વધી શકો. આ સાથે જ સફળતાના રસ્તામાં તમે પોતાને ખોટી આદતોથી બચવું પડે છે. કેટલીક ખોટી આદતો હોય છે, જેના કારણે તે વ્યકિતના રસ્તામાં રૂકાવટ કે સમસ્યાઓ આવી શકે છે. આ તે આદતો હોય છે જે તમને કયારેક સફળ નથી થવા દેતી અને ન તમારી પાસે પૈસા ટકવા દે છે.

જો તમે આ કેટલીક ખરાબ આદતોને સમય પર નહીં છોડો તો કેટલી પણ મહેનત કેમ ન કરી લો, કયારેય પણ જીવનમાં ન તો કામયાબ થઇ શકો અને ન તો કયારેય રૂપિયા બનાવી શકશો. જો કયારેય કોઇ રીત રૂપિયા કમાઇ પણ લેશો તો આ આદતોના કારણે તેને તમારી પાસે રાખી નહીં શકો અને તેનો પુરો તથા સાચો સદપયોગ નહીં કરી શકો. દોસ્તો યાદ રાખો કે અમીર બનાવવા માટે માત્ર સખ્ત મહેનત અને બચતથી જ કામ નથી ચાલતું. આ માટે તમારે કેટલીક ખરાબ આદતોથી બચવુ પડશે.

હંમેશા મોંઘી ચીજોનો ઉપયોગ કરવો:

જો તમારી કમાણી સતત વધી રહી છે તો પણ તમારે તમારા ખર્ચ વધારવા ન જોઇએ. જો તમે તમારી કમાણી અને ક્ષમતા-સામર્થ્યથી અધિક ખર્ચ કરશો કે તમારા સામર્થ્યથી વધુ મોંઘી વસ્તુ ખરીદશો તો તમે જીવનમાં કયારેય પણ અમીર નહીં બની શકો. તમારા પોતાના ખુનપસીનાની કમાણીનું મહત્વ સમજવું જોઇએ અને કયારેય પણ વ્યર્થ ન કરકવું જોઇએ. સમજદારી એવામાં જ હોય છે કે પોતાની ક્ષમતા-સામર્થ્ય અને કમાણી અનુસાર જ પોતાના ખર્ચ રાખો.

સ્માર્ટ વર્ક ન કરવું:

જો કોઇ વ્યકિત માત્ર સખ્ત મહેનત કરી રહયો છે તો પણ કયારેય અમીર નહીં બની શકે, કેમ કે આવી રીતે તે પૈસા કમાઇ માત્ર પોતાનું જીવન વીતાવી શકે છે, જીવનમાં કયારેય પણ રૂપિયા બચાવી શકતા નથી.

દોસ્તો જો તમે તમારા જીવનમાં ખરેખર રૂપિયા કમાવા છે અને અમીર બનવું છે તો તમારા જીવનમાં હંમેશા સખ્ત મહેનતથી સાથે હંમેશા સ્માર્ટ વર્ક પણ કરવું પડશે.

સ્માર્ટ વર્કની મદદથી તમે માત્ર રૂપિયા જ નહીં કમાઇ શકો, પરંતુ રૂપિયાની બચત પણ કરી શકશો અને રૂપિયાનું સાચી જગ્યાએ ઉપયોગ કરી શકશો. મહેનતની કમાણી કરીને જીવનમાં પૈસાની બચતને સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને તે વ્યકિત અમીર બની શકે છે.

કંફર્ટ ઝોનથી બહાર આવવું:

જીવનમાં ઘણા લોકો કયારેક રીસ્ક લઇને કંઇક નવું કરવાની કોશિષ નથી કરતા. કેમ કે તે જે કરે છે તે તેમાં જ ખુશ રહે છે. હંમેશા લોકો આ માટે પણ અમીર નથી બની શકતા કેમ કે તે કયારેય પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળવાની કોશિષ જ નથી કરતા.

ઘણાલોકોને પોતાની આરામની જિંદગી જ પસંદ હોય છે. એવામાં સામાન્ય લોકો રીસ્ક લેવા અને અનિશ્ર્ચિતતાથી ડરે છે. જયારે સફળ અને અમીર લોકોને રીસ્ક અને અનિશ્ર્ચિતતામાં જ ખુશી અને આનંદ મળે છે. કેમ કે આવા લોકો આત્મવિશ્ર્વાસી અને નીડર હોય છે. પોતાના ફમ્ફર્ટ ઝોનથી બહાર નીકળ્યા વિના કોઇપણ વ્યકિત અમીર નથી બની શકતો.

માત્ર બચત પર જોર આપવું:

જીવનમાં સફળતા મેળવવા અને અમીર બનવા માટે તમારે રૂપિયા કમાવા, પૈસા બચાવવાની સાથે જ પોતાની કમાણી હંમેશા વધારવા પર ઝોર દેવું જોઇએ. માત્ર રૂપિયાની બચત પર ધ્યાન આપવાથી તમે વધારે રૂપિયા નહીં બનાવી શકો. સફળતા અને અમીર લોકો પોતાની કમાણીના નાના-મોટા ઘણા સ્ત્રોત ઉત્પન્ન કરી લે છે, તેની સાથે જ કુશળતાથી સતત બચતની આદત પણ નાખે છે તમે પણ સતત પૈસા કમાઇને બચત આદત નાખવી પડશે. આવું કરવાથી તમે પણ અમીર બની શકો છો.

નિવેશની આદત ન રાખવી:

જરૂરત પડવા પર તમારી પાસે પર્યાપ્તથી વધારે રૂપિયા હોય, તે તમને ઉચિત અને સમય પર નિવેશ દ્વારા સુનિશ્ર્ચિત કરી શકો છો. જો તમે સતત રૂપિયા કમાઇ રહયા છો, પરંતુ તેનો સમય પર ઉચિત અને સાચી જગ્યા નિવેશ નથી કરતા તો રૂપિયા કમાવવાનો કોઇ ફાયદો નથી. કેમ કે હોય શકે કે કયારેક જરૂરતના સમયે તમારી પાસે રૂપિયા ન હોય. ખરા સમયે ઉચિત નિવેશ કરીને જ વ્યકિત અમીર બની શકે છે.

Be the first to comment on "અમીર બનવું છે તો આજથી ફોલો કરો મુકેશ અંબાણીની આ વાતો"

Leave a comment

Your email address will not be published.


*