ભાજપના જ દિગ્ગજ નેતાએ કહ્યું બીજેપી નું વધતું કદ દેશની લોકશાહી માટે જોખમી

ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી વખત ભાજપના વલણ સામે સવાલો ઉઠાવીને કહ્યું હતું કે, ભાજપનું વધતું કદ દેશમાં લોકશાહીને નબળી પાડી રહ્યું છે. જો…

ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી વખત ભાજપના વલણ સામે સવાલો ઉઠાવીને કહ્યું હતું કે, ભાજપનું વધતું કદ દેશમાં લોકશાહીને નબળી પાડી રહ્યું છે. જો ભાજપ સિંગલ પક્ષ તરીકે આટલો શક્તિશાળી રહેશે તો દેશની લોકશાહીને લાંબાગાળે નુકસાન થશે.

સુબ્રમન્યમ સ્વામી એ ભાજપના રાજ્યસભા સાંસદ છે અને પૂર્વ કેબીનેટ મંત્રી પણ રહી ચુક્યા છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ગોવા અને કર્ણાટકની વર્તમાન સ્થિતિ વચ્ચે ટ્વીટ કરીને ભાજપના વલણની ટીકા કરી હતી. સ્વામીએ લખ્યું હતું કે ગોવા અને કાશ્મીરની સ્થિતિ જોતાં મને લાગે છે કે જો ભાજપ એક પક્ષ તરીકે આટલો શક્તિશાળી રહેશે તો તે દેશની લોકશાહી માટે ખતરનાક સાબિત થશે.


ભાજપના નેતાએ આ સમસ્યાનો ઉપાય પણ બતાવ્યો હતો. સોનિયા-રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે વિપક્ષને સલાહ આપતા કહ્યું હતું કે ઈટાલીયન અને તેમના સંતાનને પક્ષ મૂકવાનું જણાવો અને પછી તૃણમૂલ કોંગ્રેસ-એનસીપીને પણ કોંગ્રેસમાં ભેેળવી દો. સંયુક્ત કોંગ્રેસના પક્ષ પ્રમુખ મમતાને બનાવી દો.

એનસીપીએ પણ આ બાબતે સંપૂર્ણ સહકાર આપીને કોંગ્રેસમાં ભળી જવું જોઈએ. સ્વામીએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે કટાક્ષ કરતા કહ્યું હતું કે કોંગ્રેસની નૈયા બધે જ ડૂબવા લાગી છે અને એમાં કર્ણાટકની ડૂબતી નાવનો પણ સમાવેશ કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *