ભાજપ, આપ કે કોંગ્રેસ, એક પણ દુધે ધોયેલા નથી- પોતાની જાહેરાત અને વાહવાહી કરવામાં પ્રજાના પૈસાને પાણીની જેમ વેડફી રહી છે

Published on Trishul News at 12:09 PM, Mon, 12 July 2021

Last modified on July 12th, 2021 at 12:09 PM

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રવિવારના રોજ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા માટે દિલ્હી સ્થિત આવેલા નિવાસસ્થાન પર 10 જનપથ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે હું સોનીયા ગાંધીને મળ્યો નથી, હું પ્રિયંકા ગાંધી વાડરાને મળ્યો છે. હું મારા રાજ્ય પ્રભારી પીએલ પુનિયા અને કેસી વેણુગોપાલને પણ મળીશ.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી પોતાનો હાઈકમાન્ડ બીજા કોઈને છત્તીસગઢના મુખ્ય પ્રધાન બનાવવાનું કહેશે અને તો તે પણ તેવું જ કરશે. અઢી વર્ષ રાજ્યના મુખ્ય પ્રધાન બનવાની સમજૂતીની ભારે અટકળો વચ્ચે બઘેલે કહ્યું છે કે, “હાઈકમાન્ડે મને મુખ્ય પ્રધાનપદે નિર્દેશ આપ્યો હતો, જેથી મેં શપથ લીધા.” તેઓ કહી રહ્યા છે કે બીજો મુખ્યમંત્રી હશે, ત્યારે એમ પણ થઇ શકે છે. ગઠબંધન સરકારમાં આ પ્રકારની સમજુતી હોય છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રવિવારના રોજ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા માટે દિલ્હી સ્થિત આવેલા નિવાસસ્થાન પર 10 જનપથ પહોંચ્યા હતા. ત્યારબાદ 10 જનપથે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવતા કહ્યું છે કે તેઓ ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણીઓની તમામ જવાબદારી લેવા સક્ષમ છે.

છત્તીસગઢ રાજ્યમાં કોંગ્રેસને ત્રણ-ચતુર્થાંસ બહુમતી છે. ભૂપેશ બઘેલે કહ્યું છે કે, હું કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીજીને મળ્યો છું, હવે હું વરિષ્ઠ નેતા પીએલ પુનિયા જીને મળી રહ્યો છું અને જો હાઈકમાન્ડ મને ઉત્તરપ્રદેશની આગામી ચુંટણી માટે કોઈ પણ જવાબદારી આપવામાં આવશે તો તે હું નિભાવીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ભાજપ, આપ કે કોંગ્રેસ, એક પણ દુધે ધોયેલા નથી- પોતાની જાહેરાત અને વાહવાહી કરવામાં પ્રજાના પૈસાને પાણીની જેમ વેડફી રહી છે"

Leave a comment

Your email address will not be published.


*