ચીન અને પાકિસ્તાન બાદ હવે નેપાળે કરી નાપાક હરકત: નેપાળે ભારત સાથે કર્યુ એવું કૃત્ય કે…

ભારત અને નેપાળની વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ફરી વખત નેપાળે સરહદ વિવાદને લઈને ભારત સાથે આડોડાઈ કરવાનું શરૂ કરી દીધું છે.…

ભારત અને નેપાળની વચ્ચે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ફરી વખત નેપાળે સરહદ વિવાદને લઈને ભારત સાથે આડોડાઈ કરવાનું શરૂ કરી દીધું છે. નેપાળ સરકારે ગત સોમવારે પોતાના નવા નકશા જાહેર કર્યા જેમાં ભારત સાથે જોડાયેલા લિપુલેખ અને કાલા પાણી વિસ્તારને નેપાળી ઓએ પોતાના વિસ્તારમાં ગણાવ્યા. આ પહેલા નેપાળી વડા પ્રધાન કે પી શર્મા ઓલીના નેતૃત્વમાં મળેલી બેઠક દરમિયાન આ નકશાને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી એ કહ્યું કે આ વિસ્તારો અને અમારા જ છે અને આ વિસ્તારો અમે ભારત પાસેથી પરત લઈ લઈશું. આ વિવાદ ઘણા સમયથી ચર્ચામાં રહેલો છે.

જોકે, નેપાળ ભારતનું જુનું મિત્ર છે. છતાં પણ, નેપાળની સંસદમાં કેપી શર્મા ઓલીની સરકારે નવી રાજનીતિક નક્શાના સંબંધમાં સંવિધાન સંશોધન બિલ રજુ કર્યુ છે. આ બિલ મારફતે નકશા અને રાષ્ટ્રીય પ્રતીકને બદલવામાં આવી રહ્યું છે.  નેપાળના નવા નકશામાં ભારતના ત્રણ વિસ્તારોને પોતાની સરહદમાં શામેલ કરવામાં આવ્યા છે. આ પગલું નેપાળના નક્શાને બદલા માટે ભરવામાં આવ્યું છે. ત્યારે ભારત તરફથી પ્રતિક્રિયા સામે આવી હતી. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે નેપાળમાં ભારતની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ.

ભારત અને નેપાળ વચ્ચે વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. નેપાળના એક નવા નક્શામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાનો હિસ્સો બતાવ્યો. મહત્વની બાબત છે કે ગત વખતે વિરોધ કરનારી નેપાળની મુખ્ય વિરોધી પાર્ટી નેપાળી કોંગ્રેસનું પણ કેપી ઓલી શર્માની સરકારને આ વખતે સમર્થન મળ્યું છે. નેપળ સરકારે નવા રાજકીય નકશાના સંબંધમાં સંશોધન બિલ પોતાની સંસદમાં રજૂ કર્યું છે. નેપાળના કાયદા મંત્રી શિવમાયા તુંબાહંફેએ નવા નકશાના સંબંધમં બિલ રજૂ કર્યું છે. નેપાળે આ નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પણ સામેલ કર્યાં છે.

નેપાળી વિદેશ મંત્રી પ્રદીપ ગયાવાલીએ નેપાળી માં ટ્વિટ કરતાં કહ્યું કે, અમારા મંત્રીમંડળે નિર્ણય કર્યો છે કે, દેશના સાત રાજ્ય, 13 જિલ્લા અને ૭૫૩ સ્થાનિક વહીવટી તંત્ર માં લીંપિયા ધારા, લિપુલેખ અને કાલાપાની નો સમાવેશ કરવામાં આવે અને નવો નકશો પણ જાહેર કર્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે, અમે નેપાળ સરકારને અપીલ કરીએ છીએ કે. તે આવા બનાવટી કાર્ટોગ્રાફિક પ્રકાશિત કરવાથી દુર રહે. સાથે ભારતની સંપ્રભુતા અને શ્રેત્રીય અખંડતાનું સન્માન કરે. અગાઉ જ્યારે નેપાળે પોતાના નવા રાજકીય નકશામાં ભારતીય ક્ષેત્રને પોતાનો ભાગ દર્શાવ્યો હતો ત્યારે ભારત તરફથી પ્રતિક્રિયા સામે આવી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, નેપાળે ભારતની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ.

શું છે વિવાદનું કારણ?

નેપાળ સરકારે નવા નકશામાં ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાન પણ સામેલ કરવા પર ભારતનો વિરોધ છે. નેપાળ કેબિનેટની બેઠકમાં ભૂમિ સંસાધન મંત્રાલયે નેપાળનો આ સંશોધિત નકશો જારી કર્યો હતો. જે સમયે નકશો જારી કરવામાં આવ્યો હતો, તે સમયે હાજર કેબિનેટ સભ્યોએ આ નકશાાના સમર્થનમાં મત આપ્યો હતો. તો ભારતે તત્કાલ વિરોધ નોંધાવ્યો હતો.

ભારતે 8 મેએ ઉત્તરાખંડના લિપુલેખથી કૈલાશ માનસરોવર માટે રસ્તાનું ઉદ્ધાટન કર્યું હતું. તેને લઈને નેપાળ તરફથી મોટી પ્રતિક્રિયા સામે આવી હતી. ઉદ્ઘાટન બાદ નેપાળ સરકારે નવો રાજકીય નકશો જારી કરવાનો નિર્ણય લીધો હતો. નેપાળે ભારતના ક્ષેત્રોને પણ પોતાના દર્શાવી દેખાડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *