નવા મંત્રીમંડળ પહેલા હકાલપટ્ટી ના સંકેત? ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહીત આ દીગજ્જ નેતાઓની ઓફીસ કરાવવામાં આવી ખાલી

ગુજરાત(Gujarat): રાજ્યના નવા મુખ્યમંત્રી(CM) તરીકે હવે ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે નવા મંત્રી મંડળ(Cabinet)ની શપથ વિધિ યોજવા જઈ રહી છે. ત્યારે…

ગુજરાત(Gujarat): રાજ્યના નવા મુખ્યમંત્રી(CM) તરીકે હવે ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે નવા મંત્રી મંડળ(Cabinet)ની શપથ વિધિ યોજવા જઈ રહી છે. ત્યારે ગુજરાત રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના આ દિગ્ગજ નેતાની ઓફીસ ખાલી કરવામાં આવતા હવે રાજકારણ(Politics)માં ગરમાવો આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યમાં આજે નવા મંત્રી મંડળની જાહેરાત થઇ શકે તેમ છે અને જેમાં જૂના મંત્રીઓની હકાલપટ્ટી કરીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે ગુજરાતના ચાર દિગ્ગજ મંત્રીઓની ઓફિસ ખાલી કરાઈ રહી હોવાનું અમ્લતી માહિતી અનુસાર સામે આવ્યું છે.

અત્રે ઉલ્લેખીય છે કે, રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરી બહેન દવે, વાસણ આહીર તથા કુમાર કાનાણીની સ્વર્ણિમ સંકુલમાં રહેલી ઓફિસ ખાલી કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો આ સાથે જ શિક્ષણ મંત્રી અને છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની પરીક્ષા મામલે ચર્ચામાં રહેલા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા(Bhupendra Singh Chudasama)ની ઓફિસ પણ ખાલી કરવામાં આવતા હવે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. તો સાથે મંત્રી ઈશ્વર પરમારની પણ ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં છેલ્લી ઘડીએ નો-રિપીટની થિયરી લાગુ થઈ શકે તેવી સંભાવનાઓ છે. જેમાં જૂના ચહેરાઓ રિપીટ ન થાય તેવી પૂરી સંભાવનાઓ છે. તો નવા ચહેરાઓને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. આ સાથે જ ધર્મેન્દ્ર સિંહ જાડેજા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક થઈ હોવાની સૂત્રો પાસેથી જાણકારી મળી છે.

નવા મંત્રી મંડળમાં આર.સી.ફળદુ- જામનગર દક્ષિણ, પ્રદીપસિંહ જાડેજા- વટવા, ગણપત વસાવા- માંગરોળ- સુરત, જયેશ રાદડિયા- જેતપુર, દિલિપ ઠાકોર- ચાણસ્મા, જવાહર ચાવડા- માણાવદર, હકુભા જાડેજા- જામનગર ઉત્તર, રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા, કિરિટસિંહ રાણા- લીંબડી, જીતુ વાઘાણી- ભાવનગર દક્ષિણ, નીમાબેન આચાર્ય- ભુજ, આત્મારામ પરમાર- ગઢડા, પંકજ દેસાઇ- નડિયાદ, આર.સી.મકવાણા- મહુવા- ભાવનગર, જે.વી.કાકડિયા- ધારી, ઋષિકેશ પટેલ- વિસનગર, શશિકાંત પંડયા- ડીસા , બ્રિજેશ મેરજા- મોરબી, જીતુ ચૌધરી- કપરાડા, મોહન ઢોડિયા- મહુવા- સુરત, હર્ષ સંઘવી- મજૂરા, કિર્તિસિંહ વાઘેલા- કાંકરેજ, ગજેન્દ્રસિંહ પરમાર- પ્રાતિંજ, રાકેશ શાહ- એલિસબ્રિજ, દેવા માલમ- કેશોદ, ગોવિદ પટેલ-રાજકોટ દક્ષિણ, જગદીશ પટેલ-અમરાઈવાડી, નિમીષા સુથાર-મોરવાહડફ, સંગીતા પાટીલ- લિંબાયત ને સ્થાન મળી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *