અમદાવાદમાં બહેનના પ્રેમસંબંધની જાણ થતા ભાઈએ પ્રેમીને તલવારના ઘા મારીને ઉતાર્યો મોતને ઘાટ

અમદાવાદ(ગુજરાત): રાજ્યમાં હત્યા(Murder)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં અમદાવાદ(Ahmedabad)ના બાવળા તાલુકા(Bavala taluka)નાં છબાસર ગામ(Chhabasar village)માંથી વધુ એક હત્યાનો બનાવ જોવા મળ્યો છે. છબાસર…

અમદાવાદ(ગુજરાત): રાજ્યમાં હત્યા(Murder)ના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં અમદાવાદ(Ahmedabad)ના બાવળા તાલુકા(Bavala taluka)નાં છબાસર ગામ(Chhabasar village)માંથી વધુ એક હત્યાનો બનાવ જોવા મળ્યો છે. છબાસર ગામમાં પાટીયા સામે આવેલા સેમોજ તળાવ પાસેથી દહેગામડા ગામ(Dahegamda village)નાં 22 વર્ષનાં યુવાનની હત્યા(The murder of a young man) કરેલી લાશ છ મહીના પછી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

બાવળા પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઇએ હત્યા અંગે જાણ કરતા બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધીને લાશનું પી.એમ. માટે મોકલી આપી હતી. આ પછી પોલીસે હત્યારાઓને પકડી પાડવાની કાર્યવાહી શરુ કરી હતી. બાવળા પોલીસે આદરોડા ચોકડી પાસેથી ખુલ્લે આમ રખડતા આરોપીની ધડપકડ કરીને હત્યાનો ગુનો ઉકેલી પાડયો હતો.

જાણવા મળ્યું છે કે, બાવળા તાલુકાનાં દહેગામડા ગામની સીમમાં છબાસર ગામના પાટીયા સામે આવેલા સેમોજ તળાવમાં તા.16/4/21 ના રોજ દહેગામડામાં રહેતાં સંજયભાઈ વિષ્ણુભાઈ જમોડની ગરદનના ભાગે, જમણા હાથની હથેળીના ભાગે તથા ડાબા હાથની કલાઇથી ઉપરના ભાગે કોઈ ધારદાર હથિયારના ઘા મારી ગંભીર ઈજાઓ કરીને કોઈ અજાણ્યો વ્યક્તિ ભાગી ગયો હતો.

આ અંગે મૃતકના ભાઈ રામદેવભાઈએ બાવળા પોલીસમાં હત્યાની ફરીયાદ નોંધાવી હતી. બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. બાવળા પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.સગર અને પોલીસ સ્ટાફ આરોપીને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા.

તે દરમિયાન આ ગુનામાં સંડોવાયેલી વ્યકિત વિજય ઉર્ફે કાળુ ઉર્ફે લાલો બળદેવભાઈ કોળી પટેલ બાવળા હોવાનું જાણવા મળ્યું હતું. જેને કારણે પોલીસે તે દિશામાં તપાસ કરતા આરોપી પોતે પોતાના રહેણાંક સરનામેથી મળ્યો ન હતો. તે ત્યાંથી ભાગી રહ્યો હતો. તેવામાં તે ભાવનગર જીલ્લામાં તથા દેવભુમી દ્વારકા જીલ્લામાં હોવાનું જાણવા મળતા તે દિશામાં તપાસ શરુ કરી હતી. ત્યારબાદ તે જગ્યા પરથી આરોપી ભાગે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.

પોલીસ પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેનું નામ વિજયભાણસિંહ ઉર્ફે કાળુ ઉર્ફે લાલો ઉર્ફે સજડ ચંન્દ્રભાણસિંહ સુર્યવંશી છે. તેમજ મૃતક પોતાની બહેનનો પ્રેમી હતો. જે તેને પસંદ ન આવતા તલવારના ઘા મારીને  યુવકની હત્યા કરીને લાશને પાણીમાં ફેંકી દીધી હોવાની કબુલાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *