વિડીયો : પાકિસ્તાનના જ ધર્મગુરૂની આગાહી, 4 મહિનામાં દુનિયાના નકશા પરથી ભૂંસાઇ જશે

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને દુનિયાની સામે જોરદાર હાય તોબા કર્યા પરંતુ તેના રોદાણાં કયાંય કામ આવ્યા નહીં. બધા આગળ ખૂબ કગર્યું છતાંય ઇમરાન…

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને દુનિયાની સામે જોરદાર હાય તોબા કર્યા પરંતુ તેના રોદાણાં કયાંય કામ આવ્યા નહીં. બધા આગળ ખૂબ કગર્યું છતાંય ઇમરાન સરકારના મંત્રીઓને બધેથી વીલાયેલા મોઢે પાછું આવવું પડ્યું અને ઇજ્જતના ધજાગરા થયા. વૈશ્વિક મંચ પર પણ ઇમરાન ખાન ભારતની સાથો સાથ આખી દુનિયાને યુદ્ધની ધમકી આપી રહ્યું છે તો બીજીબાજુ તેમના જ દેશના એક ધર્મગુરૂએ વાત કરતાં સમગ્ર પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે.

પાકિસ્તાનના પ્રખ્યાત દાર્શનિક અને ધર્મગુરૂ ઇસરાર અહમદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમાં તેમણે ભવિષ્યવાણી કરી છે કે પાકિસ્તાનની ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે અને 2020માં પાકિસ્તાન નામનો કોઇ મુલ્ક રહેશે નહીં. આવનારા ચાર મહિનામાં પાકિસ્તાન કેટલાંય ટુકડાંમાં વહેંચાઇ જશે અને દુનિયાના નકશામાંથી તેનું નામોનિશાન મટી જશે.

તેમણે પાક સરકારની નીતિઓની આલોચના કરતાં કહ્યું કે આવનારા થોડાંક મહિના પાકિસ્તાનની પ્રજા માટે ખૂબ જ ભારે છે. પ્રજા માટે ભારત, પાકિસ્તાન અને આઝાદ કાશ્મીરમાંથી કોઇ એકને પસંદ કરવાનો વિકલ્પ જ રહેશે અને પ્રજા પાકિસ્તાનની દમનકારી નીતિઓની વિરૂદ્ધ ફતવો આપશે અને ભારત તેમજ આઝાદ કાશ્મીરમાંથી કોઇ એકને પસંદ કરવા માટે મજબૂર થશે. એવામાં પાકિસ્તાનનું અસ્તિત્વ મિટવાનું નક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *