લંડન માં માર ખાધો તો પણ બુદ્ધિ નાં આવી: પાકિસ્તાનનાં આ મંત્રીએ યુદ્ધની તારીખ જાહેર કરી

Published on Trishul News at 10:38 AM, Sat, 31 August 2019

Last modified on August 31st, 2019 at 10:38 AM

કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ થયા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે, તેમ તેનાં નેતાઓ એક પછી એક મનફાવે તેમ નિવેદન આપતા ફરે છે. પરંતુ હકીકત એ છે કે પાક.થી શેકેલો પાપડ પણ નહિં ભાંગી શકે. પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને તાજેતરમાં કાશ્મીર મુદ્દે ન્યુક્લિયર યુદ્ધની ધમકી આપી હતી. હવે તેમની સરકારના મંત્રી શેખ રશીદે પણ ભારત સાથે યુદ્ધની આગાહી કરી છે.એટલુ જ નહી આ યુદ્ધ ક્યારે થશે તેની પણ જાહેરત કરી દીધી છે.

મળતી માહિતી મુજબ બુધવારે યોજાયેલા સેમિનારમાં શેખ રશીદે કહ્યુ હતુ કે, ઓક્ટોબર નવેમ્બરમાં ભારત પાક વચ્ચે યુદ્ધ થશે તેવુ મને દેખાઈ રહ્યુ છે અને હું અહીં પાકિસ્તાનની જનતાને તૈયાર કરવા માટે આવ્યો છું. પાક સેના પાસે જે હથિયાર છે તે દેખાડવા માટે નહી પણ ઉપયોગ કરવા માટે છે.

શેખ રશીદે પોતાનો બકવાસ આગળ વધારતા કહ્યુ હતુ કે, અમે યુએનમાં વારંવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવીશું. પાકિસ્તાન આખરી શ્વાસ સુધી કાશ્મીર માટે લડતુ રહશે.

શેખ રશીદ એ જ મંત્રી છે જેમના પર થોડા દિવસ અગાઉ લંડનમાં હુમલો થયો હતો અને ઈંડા ફેંકાયા હતા.લોકોએ તેમની ધોલાઈ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "લંડન માં માર ખાધો તો પણ બુદ્ધિ નાં આવી: પાકિસ્તાનનાં આ મંત્રીએ યુદ્ધની તારીખ જાહેર કરી"

Leave a comment

Your email address will not be published.


*