આ એક સફળ આયુર્વેદિક ઉપાયથી વેન્ટીલેટર પર રહેલા દર્દીઓ પણ સાજા થઇ રહ્યા છે- જાણી લો જલ્દી

કોરોનાને બે વર્ષ પુરા થવા આવ્યા પરંતુ હજી સુધી દુનિયાના કોઈ ડોક્ટર કે વૈજ્ઞાનિક કોરોના શું છે એ ખરેખરમાં જાણી શક્યા નથી. દરરોજ લાખો લોકો…

કોરોનાને બે વર્ષ પુરા થવા આવ્યા પરંતુ હજી સુધી દુનિયાના કોઈ ડોક્ટર કે વૈજ્ઞાનિક કોરોના શું છે એ ખરેખરમાં જાણી શક્યા નથી. દરરોજ લાખો લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે પરંતુ હજુ સુધી પણ કોઈ કારગર દવા કે રસી શોધવામાં કોઈ સક્ષમ થયો નથી. ઘણા લોકોનું માનવું છે કે કોરોના સામે લડવા માટે આર્યુવેદિક જ ઉપાય કામ આવી શકે છે અને ઘણા લોકો આ પ્રમાણે કરીને કોરોનાને હરાવ્યો પણ છે. હજારો વર્ષ પહેલા દુનિયાની કોઈ દવા કામ નહોતી લાગતી ત્યારે ભારતીય સંસ્કૃતિમાં નવનિર્મિત આર્યુવેદિક ઉપાય લોકોને એકદમ સ્વસ્થ કરી દેતો હતો. હાલ આર્યુવેદિક ઉપાયથી દુર ભાગીને ટીકડા અને મોંઘા મોંઘા ઇન્જેક્શન પર માનવીને વધારે ભરોષો રહ્યો છે. પરંતુ આવા સમય વચ્ચે પણ ઘણા લોકો છે જે આર્યુવેદિક ઉપાયથી દરેક બીમારી સામે લડી રહ્યા છે.

ઘણા દાવાઓ પણ થયા છે કે હજારો વર્ષ જુના આયુર્વેદમાં કોરોનાથી પણ ભયંકર બીમારી સામે લડવાના કારગર ઉપાયો આપેલા છે. કોરોના સામે લડવા દુનિયાની દરેક દવાઓ અને રસીઓ જયારે વ્યર્થ સાબિત થઈ રહી છે ત્યારે આયુર્વેદ એકમાત્ર ઉપચાર છે જે દર્દીઓને સાજા કરી રહ્યો છે અને ઘણા લોકોને ફાયદો પણ થયો છે.

જો તમારે પણ આયુર્વેદિક કે એલોપથી ઉપાય કરવો હોય તો સૌથી પહેલા તમારા શરીરની પ્રકૃતિ અને શારિરિક તકલીફો મામલે કોઈ અધિકૃત ડૉકટર અથવા આયુર્વેદ ચિકિત્સક પાસેથી જાણવું ખુબ જ જરૂરી છે. અધિકૃત ડૉકટર અથવા આયુર્વેદ ચિકિત્સક પાસેથી માર્ગદર્શન મેળવીને યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી 1001 ટકા ફાયદો થાય છે. આયુર્વેદીક ઔષધો લેવામાં પણ ઘણી ધીરજની જરૂર છે અને આયુર્વેદ ચિકિત્સકે પણ જણાવ્યું છે કે, તમારી પ્રકૃતી અનુકુળ જ ઔષધી લેવી જોઈએ. આર્યુવેદની દરેક ઔષધી દરેક માટે અનુકુળ નથી હોતી. આ કારણે જ મોટાભાગના ડોકટરો આર્યુવેદના ચિકિત્સક બની શકતા નથી.

હાલ મોટાભાગના કોરોનાથી પીડિતોને શ્વાસ લેવામાં તક્લીફ પડતા જ તેઓ હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવે છે, પરંતુ એક આર્યુવેદીક ઉપાયથી ઘરે બેઠા બેઠા જ ઓક્સીજનને કંટ્રોલમાં લાવી શકાય છે. આયુર્વેદિક ઉપાય અનુસાર જે પણ વ્યક્તિનું ઓક્સીજન લેવલ 90 ટકાથી નીચે આવવા લાગ્યું હોય તેવા લોકોએ કલાકે કલાકે નાહ (નાસ) લેવાનું શરુ કરી દેવું જોઈએ. નાસના પાણીમાં રાયનો પાઉડર, અજમાનો પાઉડર, તજ લવીંગ, મરી, તુલસીનો અને સુંઠનો પાઉડર નાખીને કલાકે કલાકે નાસ લેવાનું આર્યુવેદમાં જણાવ્યું છે. નાસ દરમિયાન માથે ઝાડો રૂમાલ અથવા ગોદડું ઓઢી લેવું જોઈએ જેના કારણે વધુમાં વધુ નાસની હવા મારા શ્વાસો શ્વાસમાં જાય.

અને જે દર્દીઓનું ઓક્સીજન લેવલ 95 થી નીચે હોય તેમને પણ આ જ પ્રોસીજર લાગુ કરવાની રહેશે. પંરતુ તેવા લોકોને એક એક કલાકે નહિ પરંતુ ત્રણ ત્રણ કલાકે નાસ લેવાની જરૂર પડશે. આ આર્યુવેદ ઉપાયથી ઘણા લોકોને ગણતરીની કલાકોમાં જ 100 ટકા પરિણામ દેખાયું છે. આ સિવાય પણ ઘણા આર્યુવેદિક પીણા છે જેનાથી વેન્ટીલેટર પર રહેલા દર્દીઓને પણ બચાવી શકાય છે. જેમ કે, શ્વાસકસ ચિંતામણી રસ, મહાલક્ષ્મી વિલાસ રસ, ત્રિભૂવન કીર્તી રસ, સુવર્ણ મકરધ્વજ. આ દરેક આયુર્વેદીક ડ્રગ્સ ડોક્ટર્સની સલાહ સુચન મુજબ દર્દીને આપવામાં આવે તો વેન્ટીલેટર ઉપર રહેલા દર્દીને પણ બચાવી શકાય છે. આ વાત માત્ર કાગળો પર જ નથી પરંતુ આ ઉપાયથી એક જ અઠવાડિયામાં 150 થી 200 દર્દી આઈસીયુમાંથી બહાર આવ્યા હતા. આ દર્દીઓને 48 કલાક માત્ર મગનું સુપ, સફરજનનું સુપ, ગોળ-લીંબુ-પુદીનાનું ગરમ શરબત આપ્યું હતું અને તેઓ થોડા જ સમયમાં સાજા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *