આ મંદિરમાં જતાં લોકોને થઈ જાય છે નરકની અનુભૂતિ, જાણો તે મંદિર વિશે

નરક એ એક એવું સ્થાન છે જ્યાં પાપીઓની આત્માઓને સજા આપવા મોકલવામાં આવે છે. સજા પછી, તેઓ કર્મ અનુસાર અન્ય અવતારમાં જન્મે છે. સ્વર્ગ પૃથ્વીથી…

નરક એ એક એવું સ્થાન છે જ્યાં પાપીઓની આત્માઓને સજા આપવા મોકલવામાં આવે છે. સજા પછી, તેઓ કર્મ અનુસાર અન્ય અવતારમાં જન્મે છે. સ્વર્ગ પૃથ્વીથી ઉપર છે અને નરક પૃથ્વીની નીચે છે. બધા નરક પૃથ્વીની નીચે,પાતાળ ભૂમિમાં છે. તેને અધોલોક પણ કહેવામાં આવે છે. અધોલોક નીચલી દુનિયા માં છે.

ઉદ્ધર લોક એટલે ઉપરની દુનિયા એટલે સ્વર્ગ. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકોને નરકનો અનુભવ થવા લાગે છે. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે, થાઇલેન્ડના શહેર ચિયાંગ માઇમાં એક મંદિર છે જ્યાં ભક્તો ભગવાન અને દેવીઓને બદલે નરકની મુલાકાતે આવે છે. આ મંદિર સનાતન ધર્મ અને બૌદ્ધ ધર્મથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

આ મંદિરની સભ્યતા અને સંસ્કૃતિ પર ભારતીય પ્રભાવ મોટા પ્રમાણમાં જોઇ શકાય છે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકથી આશરે 700 કિલોમીટરના અંતરે આવેલા ચિયાંગ માઇ શહેરમાં 300 જેટલા મંદિરો છે,આ નર્ક મંદિર વિશ્વનું એકમાત્ર મંદિર છે.

લોકો તેમના પાપોનું પ્રાયશ્ચિત કરવા અને પસ્તાવો કરવા આ મંદિરમાં આવે છે. આ મંદિરને વેટમાં કેટ નોઇ મંદિર પણ કહેવામાં આવે છે. સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે, જે લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. તે તેના પાપો માટે પ્રાયશ્ચિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *