કામ ધંધા બંધ થઇ જવાથી ગામડે ગયેલા લોકોને મળશે 6000 રૂપિયા, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ

Published on Trishul News at 2:10 PM, Sat, 23 May 2020

Last modified on May 23rd, 2020 at 2:10 PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાથી પરપ્રાંતિય કામદારોને પણ લાભ મળી શકે છે. જો કે, આ માટે, પરપ્રાંતિય મજૂરોએ કેટલીક શરતો પૂરી કરવી પડશે. મળતી માહિતી મુજબ મહેસૂલના રેકોર્ડમાં સ્થળાંતર કરાયેલા મજૂરોના નામ હોવા જરૂરી છે સાથે સાથે આ મજુર પુખ્ત હોવો પણ જરૂરી છે. આવા પરપ્રાંતિય મજૂરો કે જેમના નામ કોઈપણ ખેતીના કાગળોમાં છે તેઓને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે.

શરતો પૂર્ણ કર્યા પછી, યોજનામાં નોંધણી કરવી જરૂરી છે

મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્રીય કૃષિ પ્રધાન કૈલાશ ચૌધરી કહે છે કે, પરપ્રાંતિય કામદારોને શરતો પાસ કાર્ય બાદ યોજનામાં નોંધણી કરાવી લેવી પડશે. આવા મજૂરોને કેન્દ્ર સરકાર તરફથી પૈસા આપવામાં આવશે. સ્થળાંતરણ કરનારા મજૂરોએ યોજનામાં નોંધણી માટે ભટકવું નહી પડે. કામદાર પીએમ કિસાનની વેબસાઇટની મુલાકાત લઈને ખેડૂત કોર્નરમાં અરજી કરી શકે છે.

જણાવી દઈએ કે 1 ડિસેમ્બર 2019 થી, પીએમ કિસાન યોજનાની અરજી માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. જો કોઈ અરજદારે આધાર વિના યોજનામાં અરજી કરી છે, તો 6 હજાર રૂપિયા તેમના ખાતામાં આવશે નહીં. નિષ્ણાંતો કહે છે કે પીએમ કિસાન યોજના હેઠળ અરજી કરતી વખતે આધાર નંબર ન હોય અથવા તે ખોટી રીતે દાખલ કરવામાં આવે તો આ યોજનાનો કોઈ ફાયદો થતો નથી.

આ યોજનાની ઔપચારિક શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ મોદી) દ્વારા 24 ફેબ્રુઆરી 2019 ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ભવ્ય સમારોહ સાથે કરવામાં આવી હતી. આ યોજના 1 ડિસેમ્બર, 2018 થી લાગુ થઈ હતી. પીએમ-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને દર વર્ષે Rs 6000 રૂપિયા માંથી દર ત્રણ મહિને ત્રણ મહિનામાં રૂ. 2000 સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "કામ ધંધા બંધ થઇ જવાથી ગામડે ગયેલા લોકોને મળશે 6000 રૂપિયા, જાણો કોને અને કેવી રીતે મળશે લાભ"

Leave a comment

Your email address will not be published.


*