કર્મચારી સાથે થયો ઝગડો,તો પાણીની ટાંકીમાં ભેળવ્યું ઝેર, પછી….

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ખૂબ જ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં થોડું પણ મોડું થયું હોત તો પણ હજારોની સંખ્યામાં લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.…

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ખૂબ જ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં થોડું પણ મોડું થયું હોત તો પણ હજારોની સંખ્યામાં લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અહીં એક યુવકે પાણીની ટાંકીમાં જંતુનાશક ઝેર ભેળવ્યું હતું.

આ ઘટના કાનપુર ગ્રામ્ય વિસ્તારની સીટી પંચાયત રસુલાબાદની છે, જ્યાં પાણીની ટાંકીના કાર્યકરે ટાંકીના પાણીમાં માત્ર એક ઝેરની બોટલો ઓગાળી દીધી હતી.જ્યારે આરોપી કર્મચારી ટાંકી પરથી નીચે આવી રહ્યો હતો, ત્યારે બીજા કર્મચારીએ તે જોયું.

માહિતી મળતાં જ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ પાણીનો પુરવઠો બંધ કરી દીધો હતો. ચેકીંગ દરમિયાન ટાંકીની અંદરથી જંતુનાશક ઝેરની બોટલ પણ મળી આવી હતી.

પોલીસે આરોપી કર્મચારી પર એફઆઈઆર નોંધીને તેની ધરપકડ કરી છે. આ પછી, ટાંકીનું આખું પાણી ખાલી કરવામાં આવ્યું હતું.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે,નંદકિશોર નામનો કર્મચારી ભોલા સાથે લડતો હતો. આથી જ ભોલાએ તેને ફસાવવા માટે પાણીની ટાંકીમાં જંતુનાશક દવા નાખી હતી.

જોકે આરોપીએ ટાંકીમાં ઝેર ઉમેરવાની કબૂલાત કરી છે, પરંતુ તે કેમ ભેળવવામાં આવ્યું હતું તે જણાવ્યું નથી. પોલીસે બંને કર્મચારીની ધરપકડ કરી આ મામલાની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *