વડોદરા બળાત્કાર કેસ: નવમા દિવસે પોલીસે રાજસ્થાનથી બે શકમંદની અટકાયત કરી

Published on Trishul News at 1:58 PM, Sat, 7 December 2019

Last modified on December 7th, 2019 at 1:58 PM

વડોદરામાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને ઝડપી પાડવા તપાસ પુર ઝડપે ચાલુ છે. ત્યારે જાહેર કરાયેલા સ્કેચના આધારે વડોદરા પોલીસે બે શકમંદની ધરપકડ કરી હોવાનુ સુત્રોનું કેહવું છે. સગીરા પર સામુહિક દુષ્કર્મના કેસને ઉકેલવા માટે ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. આ દુષ્કર્મ કેસ મામલે પોલીસે હજારો લોકોની પુછપરછ કર્યાં બાદ આ બે આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યા હતા.

ગયા ગુરુવારે શહેરના નવલખી મેદાનમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ધટના બની હતી. સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી. તે દરમિયાન ઝાડીમાંથી બે યુવાનો તેની પાસે આવીને બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારઝૂડ કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા હતા.

જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન નવલખી મેદાન આજુબાજુ પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનને કોઇ યુવતીની બૂમો સંભળાઇ હતી. પીસીઆર વાન ચાલકોએ સ્થાનિક લોકોની સાથે સગીરાની શોધખોળ કરી હતી. તે દરમિયાન સગીરા ઝાડીઓની વચ્ચેથી મળી આવી હતી. પોલીસ સગીરાને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જોકે આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "વડોદરા બળાત્કાર કેસ: નવમા દિવસે પોલીસે રાજસ્થાનથી બે શકમંદની અટકાયત કરી"

Leave a comment

Your email address will not be published.


*