પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યાં બનશે ભવ્ય મંદિર

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદના આંગણે ભવ્યથી ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ ગયો છે. ત્યારે પ્રમુખસ્વામી નગર એક સંભારણું બની રહે તે માટે…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદના આંગણે ભવ્યથી ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ ગયો છે. ત્યારે પ્રમુખસ્વામી નગર એક સંભારણું બની રહે તે માટે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજની 15 ફૂટ ઊંચા બેઝ પર 30 ફૂટની જે મૂર્તિ હતી તેની આજુબાજુની 5 એકરમાં આગામી સમયમાં હરિમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ હરિમંદિર(Hari Mandir)ના નિર્માણ માટે ગઈકાલે મહંત સ્વામી મહારાજ(Mahant Swami Maharaj) અને સંતો દ્વારા ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું હતું.

પ્રમુખ સ્વામીનગરનું સંભારણું કાયમ માટે રહે એ માટે ખેડૂતો દ્વારા પોતપોતાની જમીન BAPS સંસ્થાને આપવાનો એક મહત્વનો નિર્ણય કર્યો છે અને શિખરબદ્ધ હરિમંદિરના નિર્માણ માટે સંતો દ્વારા પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે, આ તમામ માહિતી BAPSના સંતોએ ત્રિશુલ ન્યુઝ સાથે થયેલી ખાસ વાતચીતમાં કહી હતી.

5 એકર જમીન ખેડૂતોએ BAPS સંસ્થાને આપી:
આ અંગે BAPSના સંતોએ ત્રિશુલ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હા, આ વાત સાચી છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના છેલ્લાં બે-ત્રણ દિવસ દરમિયાન જ ખેડૂતોએ આ જમીન BAPS સંસ્થાને આપી દીધી છે. આ 5 એકર જમીન પર આગામી સમયમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થશે.’

સંતો દ્વારા મંદિરની ડિઝાઈન અને આકર્ષણ નક્કી કરવામાં આવશે:
ત્રિશુલ ન્યુઝ થયેલી વાતચીતમાં BAPSના સંતોએ વધુમાં જણાવતા કહ્યું કે, ‘હજુ તો નગરનું વાઇન્ડઅપ કરવામાં આવી રહ્યું છે. આ પછી મંદિરની ડિઝાઈન અને લેન્ડસ્કેપ માટે સંસ્થા દ્વારા પ્લાનિંગ કરવામાં આવશે. જેમાં કયા પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવું, કેટલા વિસ્તારમાં કઈ વસ્તુ બનાવવી અને સુવિધાને ઉપલબ્ધ કરાવવી જેથી સમાજ અને સત્સંગનું કાર્ય થઈ શકે. એ માટે એકાદ મહિના પછી સંતો દ્વારા નક્કી કરવામાં આવશે.’

વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *