રાહુલ ગાંધીએ ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકારની કોરોના સામેની નિષ્ફળતાઓની યાદી આપી

દેશમાં દિવસે-દિવસે કોરોનાના કેસ વધતા જાય છે. તેમજ લોકડાઉનના કારણે દેશની અર્તવ્યવસ્થા પણ ભાંગી પડી છે.આ બંને મુદ્દાઓને ધ્યાનમાં લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે…

દેશમાં દિવસે-દિવસે કોરોનાના કેસ વધતા જાય છે. તેમજ લોકડાઉનના કારણે દેશની અર્તવ્યવસ્થા પણ ભાંગી પડી છે.આ બંને મુદ્દાઓને ધ્યાનમાં લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આપણે કોરોનાને 21 દિવસમાં હરાવીશુ. આજે એ વાતને 60 દિવસ થવા આવ્યા છે.

રાહુલે જણાવ્યું કે, ભારત એકમાત્ર એવો દેશ છે, જે કોરોનાના પોઝિટિવ કેસો વધ્યા બાદ લૉકડાઉન ખોલવામાં જઈ રહ્યો છે. ભારતમાં લોકડાઉન નિષ્ફળ રહ્યું છે. PM મોદીનું લક્ષ્ય હતું, તે પૂર્ણ નથી થયું. હવે વડાપ્રધાન મોદી અને સરકારે તેમની આગામી રણનીતિ કેવી રહેશે તે દેશની જનતાને જણાવવું જોઈએ?

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારો પાસે પ્રવાસી મજૂરોની વ્યવસ્થા કરવા અને રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવાની રણનીતિ છે, પરંતુ કેન્દ્ર સરકારની મદદ વિના તેઓ એકલા કશું જ નથી કરી શકતા. રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના પીઠબળની જરૂર પડે છે.

દેશની અર્થવ્યવસ્થા અને વધતી જતી બેરોજગારીના પ્રશ્નનો જવાબ આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આપણે ઈકોનૉમી અને સ્વાસ્થ્ય વચ્ચે માર્ગ શોધવો પડશે. જેથી બન્ને વ્યવસ્થિત રીતે ચાલી શકે. એક રાષ્ટ્રીય નેતા તરીકે મને કહેતા ઘણું દુ:ખ થાય છે કે, અનેક નાના અને લઘુ ઉદ્યોગો બંધ થઈ જશે. લોકો મોટી સંખ્યામાં બેરોજગાર થઇ જશે. સરકાર અર્થતંત્ર અને સ્વાસ્થ્ય સુવિધા બન્ને તરફ એકસમાન ધ્યાન આપીને કામ કરે તે જરૂરી છે.

ચીન અને નેપાળ સાથે હાલની તનાવપૂર્ણ સ્થિતિ વિશે કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, સીમા વિવાદની વિગત, શું થયુ અને કેવી રીતે થયું?, શું કરવામાં આવ્યું? વગેરેની પૂરી જાણકારી સરકારે દેશને આપવી જોઈએ. ચીન અને ભારત વિશે વધારે બોલવા નથી માંગતો, પરંતુ ટ્રાન્સપરન્સીની જરૂરી છે. જ્યાં સુઝી મારી પાસે માહિતી નથી, ત્યાં સુધી તેના પર કંઈ બોલવું ઉચિત નથી.

રાહુલ ગાંધીએ સરકારને દરેક ગરીબોના ખાતામાં 7,500/- રૂપિયાની રકમ જમા કરવા સૂચન કર્યું છે. તેઓએ દેશને કેશ ઇંજેક્શન આપવાની વાત પર ભાર મુક્યો છે. સરકાર ન્યાય યોજના જેવી કોઈ યોજના જાહેર કરે તેવી તેમની માંગણી છે. જો આમ કરવામાં નહીં આવે તો દેશમાં ભયંકર પરિસ્થિતિ સર્જાશે તેવી તેમણે સાવચેતી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *