બે દિવસથી ગુમ યુવકની લાશ કુવામાંથી મળી આવતા થયો ચોકાવનારો ખુલાસો, સમગ્ર ઘટના જાણીને તમારી આત્મા પણ કંપી ઉઠશે

હાલ ગોંડલમાં કૂવામાંથી જુવાનજોધ યુવકની લાશ મળી આવતા હોબાળો મચી જવા પામ્યો છે. લાશ મળી આવી હોવાની જાણ થતા તાત્કાલીક પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનો…

હાલ ગોંડલમાં કૂવામાંથી જુવાનજોધ યુવકની લાશ મળી આવતા હોબાળો મચી જવા પામ્યો છે. લાશ મળી આવી હોવાની જાણ થતા તાત્કાલીક પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ લાશને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ રામ દ્વાર સામે ખોડીયાર માતાજીના મંદીર પાછળ કૂવામાંથી યુવકની લાશ મળી આવી છે. યુવકની ઓળખ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા યુવક ગોંડલની સૈનિક સોસાયટીમાં રહેતો અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં ગોંડલ મામલતદાર, ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ- જવાનો, લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ – જવાનો, એફ.એસ.એલ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસ દ્વારા એફ.એસ.એલની મદદ લેવામાં આવી છે. જેથી કરીને સાંયોગિક પુરાવા તેમજ ગુના અંગે સરળતાથી ભેદ ઉકેલી શકાય. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, યુવકની લાશને બહાર કાઢતા યુવકના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા છે.

પ્રાથમિક તબક્કે યુવકની હત્યા કરીને લાશ કુવામાં ફેંકી દીધા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ દરમિયાન ગોંડલ સિટી પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગોંડલ સિટી પોલીસ દ્વારા મૃતક યુવાનનો સીડીઆર રિપોર્ટ પણ કઢાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, પોલીસ તમામ દિશામાં તપાસ માટેના પ્રયત્નો કરી રહી છે. યુવાનના મૃત્યુ પહેલા તે કોની કોની સાથે સંપર્કમાં હતો તેનો સંપર્ક કર્યો હતો. તેમજ કઈ રીતે કુવા સુધી પહોંચ્યો તે તમામ બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ ગોંડલ સિટી પોલીસ દ્વારા ઘટના સ્થળની નજીકમાં જે કોઈપણ જગ્યાએ સીસીટીવી છે તે દરેક જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર મામલે મૃતક યુવાનના પરિવારજનો સાથે પણ ગોંડલ સિટી પોલીસ દ્વારા હાલ વાતચીત કરવામાં આવી રહી છે. પરિવારજનોનું યુવાન મામલે શું કહેવું છે? મૃત્યુ પહેલાના દિવસોમાં તેનું વર્તન સામાન્ય હતું કે કેમ? કોઈનાથી તે ભયભીત હતું કે કેમ તે સહિતની તમામ બાબતો અંગે પરિવારજનોને પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ગોંડલના સૈનિક સોસાયટીમાં રહેતા અજય સિંહ જાડેજા 10 મિનિટમાં આવું છું કહી ઘરેથી નીકળ્યો હતો. પરંતુ બે દિવસથી પુત્ર ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારે અચાનક આજે યુવાન મૃત હાલતમાં કૂવામાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃત યુવાનના ગળાથી લઇ આખા શરીરમાં 30થી વધુ છરીના ઘા મારી હત્યા નિપજાવી લાશ સાથે પથ્થર બાંધી કૂવામાં નાખી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *