રક્ષાબંધન પર સૂર્યપુત્રી ભદ્રાનું સંકટ, શાસ્ત્રોમાં ખુબ જ અશુભ છે ભદ્રા – આ સમયે ભૂલથી પણ નહિ બંધાવતા રાખડી નહીતર…

Published on Trishul News at 12:56 PM, Wed, 10 August 2022

Last modified on August 10th, 2022 at 12:56 PM

રક્ષા બંધન 2022: રક્ષા બંધન(Raksha Bandhan) 11 ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર બહેન તેના ભાઈના માથા પર તિલક લગાવીને તેની આરતી કરે છે અને તેના કાંડા(Wrist) પર રાખડી બાંધે છે. રક્ષાબંધન પર સારો સમય જોઈને જ રાખડી(Rakhi) બાંધવી જોઈએ. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાકાળ (Bhadrakaal)નું સંકટ છે. શાસ્ત્રો(Scriptures)માં ભદ્રા કાળને અશુભ(unlucky) માનવામાં આવે છે. આમાં રાખડી બાંધવા કે કોઈ પણ શુભ કાર્યનું પરિણામ સારું મળતું નથી, આવો જાણીએ શા માટે ભદ્રા કાળને અશુભ માનવામાં આવે છે.

રક્ષા બંધન 2022 ભાદ્રા કાળનો સમય:
રક્ષાબંધનના દિવસે ભદ્રા પૂંછ – 11 ઓગસ્ટ 2022, સાંજે 05.17 થી 06.18 સુધી
રક્ષાબંધન ભાદ્ર મુખ – સાંજે 06.18 થી 8.00 સુધી
રક્ષાબંધન ભદ્રા સમાપ્ત – 11 ઓગસ્ટ 2022, રાત્રે 08.51 વાગ્યે
રક્ષાબંધન માટે પ્રદોષ કાલનો મુહૂર્ત – 11મી ઓગસ્ટ 2022 રાત્રે 08.52 થી 09.14 સુધીનો છે. જે રાખડી  બાંધવાનો શ્રેષ્ઠ સમય.

ભદ્રા કાળ શા માટે અશુભ માનવામાં આવે છે:
ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. શનિની જેમ તેનો સ્વભાવ પણ ક્રૂર છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભલે ભદ્રાનો શાબ્દિક અર્થ કલ્યાણ થાય છે, પરંતુ તેનાથી વિપરિત ભદ્રા કાળમાં શુભ કાર્ય વર્જિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રા ત્રણેય લોકમાં રાશિ પ્રમાણે ભ્રમણ કરે છે. મૃત્યુ લોક (પૃથ્વી લોક)માં હોવાને કારણે શુભ કાર્યમાં અવરોધો આવે છે.

રક્ષાબંધન સાથે ભદ્રાનો ખૂબ જ નજીકનો સંબંધ છે. પૌરાણિક કથા અનુસાર, ભદ્રા કાળમાં લંકાના રાજા રાવણની બહેને તેને આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવામાં આવી હતી, જેના પછી રાવણને તેના અશુભ પરિણામોનો સામનો કરવો પડ્યો હતો. રાવણની લંકાનો નાશ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

About the Author

Nauman Ahmed
Nauman Ahmed is Journalist and Digital Sub editor at Trishul News.

Be the first to comment on "રક્ષાબંધન પર સૂર્યપુત્રી ભદ્રાનું સંકટ, શાસ્ત્રોમાં ખુબ જ અશુભ છે ભદ્રા – આ સમયે ભૂલથી પણ નહિ બંધાવતા રાખડી નહીતર…"

Leave a comment

Your email address will not be published.


*