રિસર્ચમાં દાવો: તાંબુ કે તાંબા મિશ્રિત ધાતુ મારી શકે છે કોરોના વાયરસ

કોરોના વાઈરસના ફેલાયા બાદ આપણે કોઈપણ વસ્તુઓને અડવાથી પહેલાં વિચાર કરી રહ્યા છીએ. ક્યાંક તેમાં પણ આ વાયરસ ન હોય.કારણ કે આ વાત તો પહેલેથી…

કોરોના વાઈરસના ફેલાયા બાદ આપણે કોઈપણ વસ્તુઓને અડવાથી પહેલાં વિચાર કરી રહ્યા છીએ. ક્યાંક તેમાં પણ આ વાયરસ ન હોય.કારણ કે આ વાત તો પહેલેથી જ પ્રમાણિત થઈ ચૂકી છે કે આ વાયરસ નિર્જીવ વસ્તુઓ ઉપર પણ નવ દિવસ સુધી જીવિત રહી શકે છે. એવામાં કઈ વસ્તુઓને અડવી અને કઈ વસ્તુઓને ન અડવીએ જાણવુ ખૂબ મુશ્કેલ છે.પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે તાંબાની વસ્તુઓને તમે અડી શકો છો કારણ કે તાંબાની ધાતુ માંથી બનેલા વાસણો અને સામાનમાં કોરોના વાયરસ મરી જાય છે. આવો જાણીએ તેની હકીકત.

હવે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યા છે કે વધારે વસ્તુઓની સપાટી એવી ધાતુઓમાંથી બનાવી જોઈએ કે જેના પર બેકટેરિયા, વાઈરસની અસર ઓછી થાય અથવા ન થાય. તમને જાણીને નવાઈ લાગશે કે તાંબુ એટલે કે કોપર એકમાત્ર એવી ધાતુ છે જેના પર બેકટેરિયા સંપર્કમાં આવતા જ મિનિટોમાં જ તેને મારી નાખે છે.

તાંબાના ગુણોથી ભારતીય ખૂબ સમય પહેલાંથી જ પરિચિત છે. પહેલાં તો તાંબાના વાસણોનો જ ઉપયોગ થતો હતો. હજુ પણ ઘણા લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.આયુર્વેદમાં પણ આ વાત પ્રમાણિત થઈ ચૂકી છે કે તાંબામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે. સાથે જ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે.

2015માં યુનિવર્સિટી ઓફ સાઉથહેમ્પટનના એક શોધ કરી કહેવામાં આવ્યું હતું કે તાંબુ રેસ્પિરેટરી(ફેફસાને સંક્રમિત કરનાર વાયરસ) વાયરસથી બચાવી શકે છે. રેસ્પિરેટરી વાઇરસ જેવા કે સાર્સ અને મર્સ.

યુનિવર્સિટી ઓફ સાઉથહેમ્ટનના શોધકર્તાઓએ માલુમ કર્યું છે કે જીવજંતુઓથી મનુષ્યમાં આવનાર કોરોના વાયરસ 229Eને પણ તાંબુ મારી શકે છે.આ વાઇરસ અન્ય વસ્તુઓની સપાટી પર ઘણા દિવસો સુધી જીવી શકે છે પરંતુ તાંબાની સપાટી પર તરત મરી જાય છે.

હજુ આ જાણકારી સામે નથી આવી કે કોરોના વાયરસ કોવિડ-19 તાંબાની સપાટી પર આવ્યા બાદ મરશે કે નહીં. પરંતુ તેના પર વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે.

અમેરિકન સોસાયટી ઓફ માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત એક લેખ અનુસાર યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ ની શોધ કર્તા રીટા કોરવેલે આ વાયરસનો જુદી જુદી સપાટી ઉપર અભ્યાસ કર્યો છે. તેમણે પોતાની શોધમાં નિષ્કર્ષ આપ્યો કે જુના કોરોના વાયરસ તાંબાની સપાટી પર આવતા જ મરી જાય છે અથવા તો નિષ્ક્રિય થઇ જાય છે. ઘણા લોકો તો નાહવા માટે પણ તાંબાના બાથટબ નો ઉપયોગ કરે છે.

રીટા કોરવેલે જણાવ્યું કે તાંબાની સપાટી ના સંપર્કમાં આવતાં જ જુના કોરોના વાઇરસના જિનોમ નષ્ટ થઈ જાય છે. આ ઉપરાંત વાયરસના બહારના ભાગમાં નીકળેલા કાંટા જેવા ઢાંચાઓ તૂટવા લાગે છે. તેનું બહારનું લેયર નષ્ટ થઈ જાય છે. હવે જોવાનું એ રહ્યું કે શું કોવિડ-19 કોરોના વાઈરસને તાંબુ મારી શકે છે કે નહીં?

તમને જણાવી દઈએ કે 1980થી પહેલા લોકો તાંબાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરતા હતા. પરંતુ 1983ના બાદ તાંબાના વાસણો ના ઉપયોગ માં અછત આવી ગઈ. પરંતુ હવે પાછલા કેટલાક વર્ષોમાં તેમાં વધારો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *