કોંગ્રેસને છુટાછેડા આપનાર આઠ ધારાસભ્યો આવતી કાલે આ નવી રાજકીય પાર્ટી સાથે કરશે પુનર્વિવાહ

રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપનાર આઠ ધારાસભ્યો આખરે પોતાનું સપનું સાકાર કરવા આવતીકાલે પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિધિવત ભાજપમાં જોડાવાની…

રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપનાર આઠ ધારાસભ્યો આખરે પોતાનું સપનું સાકાર કરવા આવતીકાલે પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિધિવત ભાજપમાં જોડાવાની વાત સામે આવી છે.

પોતાના ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસના નેતાઓ હવે ભાજપમાં જોડાઈને પેટાચુંટણી લડશે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આઠ જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપીને આડકતરી રીતે ભાજપને મદદ કરી હતી અને ભાજપે પોતાના ત્રણેય ઉમેદવારોને સંખ્યાબળથી જીતાડી દીધા હતા. જયારે કોંગ્રેસના ભરતસિંહ ને હારનો સામનો કરવો પડ્યો હતો.

જે વી કાકડીયા, સોમા ગાંડા પટેલ, પ્રવીણ મારું, પ્રદ્યુમ્નસિંહ જાડેજા તેમજ મંગળ ગાવિત સહીત લોકડાઉન બાદ વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના જીતું ચૌધરી બાદ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *