વાન અને ટ્રેલરની ભયંકર ટક્કરમાં સાત લોકોના મોત: જાણો કયાની છે ઘટના

Published on Trishul News at 2:23 PM, Sun, 6 September 2020

Last modified on September 6th, 2020 at 2:23 PM

શનિવારે રાત્રે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં મોટો અકસ્માત થયો હતો. અહીં એક વાનને ટ્રેઇલરએ ટક્કર મારતાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમ પોલીસે જણાવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે પીડિતો કોટાથી ભિલવારા જઇ રહ્યા હતા, તે દરમિયાન કેસરપુરા નજીક આ અકસ્માત થયો હતો.

મળતી માહિતી મુજબ, કોટા ફોરલેન રોડ પર આવેલા અરોલી ટોલ નાકા વિસ્તારમાં કેસરપુરા ડાયવર્ઝન પાસે વાનની ટક્કર બાદ વાનના કુચ્ચા બોલી ગયા હતા અને આગ લાગી ગઈ  હતી. આ અકસ્માતમાં વાનના તમામ સાત મુસાફરોનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં છ લોકો બિગોદ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંગોલી શ્યામ વિસ્તારના રહેવાસી છે, જ્યારે એક સલાવતિયાનો છે. અકસ્માત બાદ હાઇવે પર અરાજકતા છવાઈ ગઈ હતી અને એક કલાક સુધી ટ્રાફિક બંધ રહ્યો હતો. બિજોલિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી રાજ માર્ગ ખુલ્લો કર્યો હતો.

મૃતકોની ઓળખ ઉમેશ (40), મુકેશ (23), જમના (45), અમરચંદ (32), રાજુ (21), રાધેશ્યામ (56) અને શિવલાલ (40) છે. પોલીસે જણાવ્યું કે તમામ લીકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Be the first to comment on "વાન અને ટ્રેલરની ભયંકર ટક્કરમાં સાત લોકોના મોત: જાણો કયાની છે ઘટના"

Leave a comment

Your email address will not be published.


*