મોટા સમાચાર: રૂપાણી સરકારે રાત્રી કર્ફ્યું અંગે લીધો મહત્વનો નિર્ણય, હવે આ રહેશે ટાઈમ

ગુજરાત સરકારે દ્વારા આજે રાત્રી કર્ફ્યુંને લઈને મહત્વનો નિર્ણય લીધો છે અને તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આવતીકાલથી આ જાહેરનામું અમલમાં મુકવામાં આવશે. રાજ્યના…

ગુજરાત સરકારે દ્વારા આજે રાત્રી કર્ફ્યુંને લઈને મહત્વનો નિર્ણય લીધો છે અને તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આવતીકાલથી આ જાહેરનામું અમલમાં મુકવામાં આવશે. રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કરફ્યુમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. જેથી હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું લાગુ રહેશે.

સાથે સાથે આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની પ્રતિમાની સ્થાપના કરી શકાશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ પ્રમાણેનો મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે અમદાવાદ અને સુરત સહીત 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદામાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. 31 જુલાઈ એટલે કે આવતી કાલથી 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.

રાજ્યના ૮ મહાનગરમાં રેસ્ટોરન્ટ અને હોટલ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટતું હોવાથી જાહેર કાર્યક્રમ માટે ના નિયમો પણ હળવા કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં જાહેર સમારંભો તેમજ ખુલ્લી જગ્યામાં યોજવામાં આવતા પ્રસંગો જેમાં 200 વ્યક્તિઓની પહેલા મર્યાદા હતી જેને ૩૧ જુલાઈથી વધારે ને 400 વ્યક્તિઓની કરવામાં આવી હતી. પરંતુ હાલમાં જ ફરી રાજ્ય સરકાર દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. જે જાહેરનામામાં લગ્નનને સામાજિક કાર્યક્રમમાં નહીં ગણવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને જ મંજૂરી મળશે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે સામાજિક કાર્યક્રમમાં મહત્તમ 400 લોકોને મંજૂરી આપવામા આવી છે અને મરણ પ્રસંગમાં ૪૦ લોકોને જ સરકારે મંજૂરી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *