સાળંગપુર: કષ્ટભંજન દેવના આ શણગારને જોઇને તમે પણ અનુભવશો ધન્યતા- માત્ર એક ક્લિક પર કરો દર્શન

Published on Trishul News at 11:56 AM, Mon, 19 December 2022

Last modified on December 19th, 2022 at 11:56 AM

સાળંગપુર કષ્ટભંજન દેવનું(Salangpur Hanumanji Mandir) મંદિર વિશ્વવિખ્યાત છે અનેઆ મંદિર 200 વર્ષથી વધુ જૂનું છે. આ મંદિરમાં કષ્ટભંજન દેવની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ કષ્ટભંજન દેવના મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે અને દેશભરમાંથી ભાવિક ભક્તો અહીં માથું ટેકવવા અને શ્રીફળ ચડાવવા માટે આવે છે.

આજે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજને એક વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પ્રકારના ફૂલોનો શણગાર કરીને અદભુત દર્શન લાવો આપવામાં આવ્યો હતો. જુદા જુદા પ્રકારના ફૂલોની સજાવટથી હનુમાનજી મહારાજ શોભી ઉઠ્યા હતા.

સવારની આરતી બાદથી ભાવિક ભક્તોની ભીડ જમા થઈ ગઈ હતી અને સેંકડો હરિભક્તોએ આ દર્શન લાભ મેળવ્યો હતો. અગાઉ હનુમાનજી મંદિરમાં કેરી અને અલગ અલગ ફ્રુટના શણગાર પણ કરવામાં આવી ચૂક્યા છે. ત્યારે આજે અલગ અલગ ફૂલથી હનુમાનજી મહારાજને શણગારવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે સોમવારે ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. ધનુર્માસ અંતર્ગત સફલા એકાદશી નિમિત્તે હજારી ગલગોટા, ગુલાબ વગેરે ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. તો સાથે જ દાદાના સિંહાસનને સંગીતના વાદ્યોના આકારની જેમ સુશોભિત કરવામાં આવ્યું છે. દાદાના આ રૂપના દર્શન કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી છે.

મહત્વનું છે કે, હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "સાળંગપુર: કષ્ટભંજન દેવના આ શણગારને જોઇને તમે પણ અનુભવશો ધન્યતા- માત્ર એક ક્લિક પર કરો દર્શન"

Leave a comment

Your email address will not be published.


*