સંજય જોશીની સુરત મુલાકાતે ગુજરાત ભાજપના કેટલાય નેતાઓની ઊંઘ હરામ કરી- જાણો અહી

ભાજપના નેતા સંજય જોશી આજે સુરત અને અંકલેશ્વર ની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટ ખાતે આવ્યા ત્યારે તેઓએ મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલા હાઈ વોલ્ટરજ…

ભાજપના નેતા સંજય જોશી આજે સુરત અને અંકલેશ્વર ની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટ ખાતે આવ્યા ત્યારે તેઓએ મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલા હાઈ વોલ્ટરજ ડ્રામા ને લઈ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ભાજપ વિપક્ષમાં બેસીને પ્રજાના હિત માટે કાર્ય કરશે. ઉલ્લેખનીય છે કે સંજય જોશીનું ભાજપના જુના કાર્યકર્તાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું પરંતું અટલ વિચારધારાથી અલગ વિચારનાર હાલના નવા ભાજપી કાર્યકરો એ દેખા દીધી નહોતી.

અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામુ આપતા ભાજપનું મહારાષ્ટ્ર માં સરકાર બનાવવાનુ સ્વપ્ન તૂટી ગયુ છે. જ્યારે આ અંગે સુરત ખાતે આવેલા ભાજપના વરિષ્ઠ નેતા સંજય જોશીને પૂછવામા આવ્યુ ત્યારે તેઓએ જણાવ્યુ હતુ કે હાલ ભાજપ વિપક્ષમાં બેસશે અને મહારાષ્ટ્રમાં ભાજપ વિપક્ષમાં બેસીને લોકહિતના કાર્યો કરશે.

વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે ભાજપ એટલા માટે સરકાર બનાવી શકી નહિ કારણ કે મહારાષ્ટ્ર માં અજિત પવાર ફરી ગયા. શિવસેનાએ સાથ છોડ્યો હવે શિવસેના એ વિચારવાનુ છે. રાજનીતિમાં ઉતાર ચઢાવ આવતા જ હોય છે.

સંજય જોશી એ ભલે પોતાના પક્ષ માટે બચાવ કરતુ નિવેદન કર્યું હોય પરંતુ જાણકારોનું માનીએ તો સંજય જોશીની રાજનીતિ ખત્મ કરવા પાછળ ગુજરાતના જ અમુક નેતાઓ નો હાથ હતો. પરંતુ હાલની તારીખે ભાજપના દેશભરના અટલ વિચારધારા વાળા નેતાઓ સંજય જોશીને જ ભાજપના સંકટ મોચક માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *