‘તું તારા પતિ સાથે સંભોગ કરે છે તેવી રીતે મારી સાથે કરીશ તો બાળક થશે’ : જાણો કોણે કહ્યું આવું?

કલોલ નજીક આવેલા એક ગામમાં રહેતી પરિણીતા લગ્નના એક વર્ષ બાદ પણ નિસંતાન હોવાથી વાસજડાના ભૂવા પાસે બાધા રાખી હતી. ભૂવાએ દંપતીને દર રવિવારે માતાજીનાં…

કલોલ નજીક આવેલા એક ગામમાં રહેતી પરિણીતા લગ્નના એક વર્ષ બાદ પણ નિસંતાન હોવાથી વાસજડાના ભૂવા પાસે બાધા રાખી હતી. ભૂવાએ દંપતીને દર રવિવારે માતાજીનાં મંદિરે આવવા કહ્યું હતું. ત્યારબાદ વિધિ કરવાના બહાને ભૂવો પરિણીતાના ઘરે ગયો હતો અને તેણીનાં પતિ અને પરિવારજનોને ઘરની બહાર કાઢી વિધિના બહાને પરિણીતા સાથે જબરદસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ભૂવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ નજીક આવેલા એક ગામમાં રહેતી પરિણીતાને એક વર્ષ બાદ પણ સંતાન નહી થતાં અંધશ્રદ્ધામાં ડૂબેલા દંપતીએ વાસજડાના ચેહર માતાના ભૂવા પાસે બાધા લીધી હતી. અને ભૂવાને મળવા ગયા હતા. કહેવાતા ભૂવા ઠાકોર રમણજી ફૂલાજીએ દંપતીને કહ્યું કે તમારે દર રવિવારે માતાજીનાં દર્શન કરવા આવવું પડશે જેથી દંપતી દર રવિવારે દર્શન કરવા જતાં હતાં.

ત્યારે 18 ઓગસ્ટને રવિવારે જ્યારે દંપતી દર્શન કરવા ગયું ત્યારે ભૂવા રમણે કહ્યું કે તમારા ઘરે આવીને મારે વિધિ કરવી પડશે જેથી પરિણીતાના પિતાને આ બાબતની જાણ કરવામાં આવી અને જમાઈએ કહ્યું કે આ વિશે અમે જાણતા નથી જેથી ભુવાજીને લઇને તમે અમારા ઘરે આવજો. વિધિના બહાને ભૂવો દંપતીના ઘરે આવ્યો અને જમ્યા પછી ભૂવાએ કહ્યું કે માતાજીની વિધિ કરવી પડશે. અને ત્યારબાદ તેણીનાં પતિ અને પિતાને ઘરની બહાર મોકલી ઘરમાં એકલી પરિણીતાને લઇ ગયો હતો.

અને વિધિના બહાને અગરબત્તી સળગાવી સોપારી જમીન પર મૂકી પરિણીતાને કહ્યું કે તું તારા પતિ સાથે સંભોગ કરે છે તેવી જ રીતે મારી સાથે કરીશ તો તને બાળક પ્રાપ્તિ થશે તેમ કહી પરિણીતા સાથે જબરદસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો. અને ત્યારબાદ ભૂવાએ ધમકી આપી હતી કે આ વાત કોઈને કહીશ તો માતાજી રૂઠશે જેથી ગભરાઈ ગયેલી પરિણીતાએ આ વાત કોઈને કહી નહોતી.

પરંતુ પત્ની ઉદાસ રહેતી હોવાથી પતિને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો. પતિએ પૂછતા પત્નીએ સઘળી હકીકત જણાવી હતી. અને ત્યારબાદ પરિણીતાએ ફરિયાદ નોધાવતા કલોલ તાલુકા પોલીસે ભુવાજી રમણજી ફુલાજી ઠાકોર સામે બળાત્કારનો ગુનો નોધી તેની ધરપકડ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *