યુવરાજસિંહના ઘરે બંધાયું પારણું – દીકરાના જન્મથી ઘરમાં ગુંજી ઉઠી કિલકારી, સોશિયલ મીડિયા પર વાઈરલ થયો…

તાજેતરમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર(Indian cricketer) યુવરાજ સિંહ(Yuvraj Singh)ના ઘરે કિલકારી ગુંજી ઉઠી હોવાના સમાચાર સામે આવ્યા છે. યુવરાજની પત્ની હેઝલ કીચે એક દીકરાને જન્મ…

તાજેતરમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર(Indian cricketer) યુવરાજ સિંહ(Yuvraj Singh)ના ઘરે કિલકારી ગુંજી ઉઠી હોવાના સમાચાર સામે આવ્યા છે. યુવરાજની પત્ની હેઝલ કીચે એક દીકરાને જન્મ આપ્યો છે. યુવરાજે સોશિયલ મીડિયા(Social media)માં ફેન્સને આ ખુશખબરી આપી હતી. આ સાથે યુવીએ પોતાના ફેન્સને પ્રાઈવસી વિશે એક ખાસ વાત પણ કહી છે. યુવરાજ સિંહે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે જણાવ્યુ છે કે, હેઝલ કીચે(Hazel Keach) પુત્રને જન્મ આપ્યો છે. યુવીએ આ માટે ભગવાનનો આભાર માન્યો છે. આ સાથે જ તેણે પોતાના ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવા પણ વિનંતી કરી છે.

જણાવી દઈએ કે, યુવરાજ અને હેઝલ કીચના વર્ષ 2016માં લગ્ન થયા હતા. તમે જનતા જ હશો કે, યુવી અને હેઝલના લગ્નની કહાની ખૂબ જ રસપ્રદ છે. યુવરાજે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણે હેઝલ સાથે લગ્ન કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા. તેણે કહ્યું કે, હેઝલે લગભગ 3 મહિના પછી સોશિયલ મીડિયા પર તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial)

યુવરાજ સિંહ સાથેના લગ્ન દરમિયાન હેઝલ કીચે ગુરબસંત કૌર નામ અપનાવ્યું હતું. આ ઉપરાંત એક ઈન્ટરવ્યુમાં હેઝલે તેના ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારો વિશે પણ ખુલ્લેઆમ જણાવ્યું હતું. આ તે સમયની વાત છે જ્યારે તે ભારત આવી હતી. માર્ચ 2021માં અભિનેત્રીએ સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો હતો.

તેણે લખ્યું કે, “હું અને મારો ફોન બ્રેક લઇ રહ્યા છીએ. જાણું છું કે તે આ તમારામાંથી ઘણા માટે આઘાતજનક હશે. પરંતુ સારુ છે કે, આપણે આપણી જાત સાથે સમય પસાર કરવો જોઈએ. કોઈપણ વસ્તુ પર કે, માણસ પર સંપૂર્ણપણે નિર્ભર રહેવું ખોટું છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *