RSS ના સેવકે પોતાનો બેડ બીજાને આપી બલિદાન આપ્યું- મુખ્યમંત્રીએ ફેલાવ્યા ફેક ન્યુઝ- જાણો અહિયાં

Published on Trishul News at 8:55 PM, Thu, 29 April 2021

Last modified on April 29th, 2021 at 9:18 PM

સોશ્યલ મીડિયા પર આરએસએસ સાથે સંકળાયેલા નારાયણરાવ ડાભાડકરના દેહ્ત્યાગની સ્ટોરી વાઈરલ થઇ રહી છે. નાગપુરના રહેવાસી 85 વર્ષીય ડાભાડકરને કેટલાય લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધે કોઈ બીજા માટે હોસ્પિટલમાં પોતાનો પલંગ છોડી દીધો હતો અને ત્રણ દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું. ત્યારે આ બલિદાનને RSS ના સ્વયંસેવક અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ RSS નું બલીદાન ખપાવવા માટેનો બાલીશ પ્રયત્ન કર્યો હતો.

હવે જાણવા મળ્યું છે કે જે દિવસે નારાયણ રાવને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, તે દિવસે હોસ્પિટલમાં ત્રણથી ચાર પલંગ ઉપલબ્ધ હતા અને તેમણે બીજા કોઈને પથારી આપવાની ઇચ્છા વ્યક્ત કરી ન હતી અને તેને જરૂર નહોતી.

છેવટે, આ સમાચાર કેવી રીતે વાયરલ થયા? બધા અખબારો અને ન્યૂઝ ચેનલોએ તેને બલિદાનની સ્ટોરી તરીકે ચલાવી હતી. આ કથિત રાષ્ટ્રવાદી ચેનલોએ એ પણ તસ્દી લીધી નહોતી કે આ વૃદ્ધ ઘરે શા માટે ગયા? કોઈ વૃદ્ધ દવા અને ઈલાજ વગર મૃત્યુ પામ્યા અને આની પાછળ તંત્રને સવાલ ન કર્યો.

અમે પ્રોપોગેંડા સ્થાપિત ગોદી મીડિયા પાસેથી અપેક્ષાઓ પણ નથી રાખતા. પણ આ વાત ની ખરાઈ ત્યારે કરવી પડી જ્યારે મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ જનરલ વી.કે.સિંઘ આ વૃદ્ધને આરએસએસના આદર્શ ગણાવીને વાયરલ કરી રહ્યા હતા.

નોંધનીય છે કે આરએસએસ પણ આ બનાવટી સમાચાર ફેલાવવામાં શામેલ હતું. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, 27 એપ્રિલે આરએસએસએ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં લખ્યું છે કે “ડાભાડકરને ખૂબ મુશ્કેલીથી ઈંદિરા ગાંધી હોસ્પિટલ માં એક પલંગ મળ્યો હતો. તેઓએ ત્યાં એક મહિલા જોઇ જે તેના ચાલીસ વર્ષના પતિ માટે ઓક્સિજન પલંગની વિનંતી કરી રહી હતી. તેના બાળકો પણ રડી રહ્યા હતા. ડાભાડકર ત્યાં હાજર મેડિકલ સ્ટાફને કહ્યું કે તેણે પોતાનું જીવન જીવી ઇધુ છે, જો બેડ ન હોય તો પોતાનો બેડ તે પુરુષને આપવો જોઈએ. ડાભાડકરના જમાઈ અને ડોક્ટરોએ જણાવ્યું કે ડાભાડકરને સારવાર આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અન્ય કોઈ જગ્યાએ બેડ મળવાની ગેરેંટી નથી, પણ ડાભાડકર સંમત થયા નહોતા. તેણે તેમની પુત્રીને ફોન કર્યો અને કહ્યું કે તેઓ ઘરે પાછા જશે. દરેક વ્યક્તિએ તેમની લાગણીઓને સમજી લીધી. તે ઘરે પાછ આવ્યા અને ત્રણ દિવસ પછી તેનું મૃત્યુ થયું. ”

પણ કોમનસેન્સ સવાલ હતો કે કોઈ દર્દી બેડ કોને આપવો એ કેવી રીતે નક્કી કરી શકે? આતો હોસ્પિટલ તંત્ર નક્કી કરે છે? આ સંદર્ભે, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ હોસ્પિટલના ઇન્ચાર્જ શીલુ ચિમુરકરે જે કહ્યું તે સાબિત કરે છે કે આ સમાચાર સંપૂર્ણપણે ફેક ન્યુઝ અને ભ્રમિત કરનારા હતા.

ડો.શૈલુએ કહ્યું કે “22 એપ્રિલના રોજ સાંજે 5:55 વાગ્યે ડાભાડકરને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમે તેના પરિવારના સભ્યોને કહ્યું હતું કે જો તેમની હાલત બગડે તો તેઓને મોટી હોસ્પિટલમાં જવું પડે. પરિવારજનો આ વાત પર સંમંત હતા. 7:55 વાગ્યે તેઓ પાછા ફર્યા અને ડિસ્ચાર્જ જોઈએ છે તેવી માંગ શરૂ કરી. અમને આનું કારણ જણાવવામાં આવ્યું ન હતું, પરંતુ અમે તેમને સલાહ આપી હતી કે દર્દીને મોટી હોસ્પિટલમાં લઈ જવું. જ્યારે અમે તેને તબીબી સલાહની વિરુદ્ધ રજા આપી ત્યારે તેમના જમાઈ, અમોલ પચપોરે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. ”

સોશિયલ મીડિયા પર ફેરવવામાં આવી રહેલી ત્યાગ અને બલિદાનની પોસ્ટ વિશે, શીલુ ચિમુરકરે કહ્યું કે તેમના સ્ટાફમાંથી કોઈએ પણ ‘આવી કોઈ ઘટના જોઈ નથી’. તેમણે એમ પણ કહ્યું કે તે દિવસે અમારી પાસે ચાર-પાંચ બેડ ખાલી હતા. ‘ એટલે કે, જ્યાં ચાર કે પાંચ પથારી ખાલી હતા તે હોસ્પિટલમાં કોઈને બેડ છોડવાની જરૂર નહોતી.

ડોક્ટર સાથેની વાતચીતનો આ વિડિઓ વિડિઓ જુઓ –

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "RSS ના સેવકે પોતાનો બેડ બીજાને આપી બલિદાન આપ્યું- મુખ્યમંત્રીએ ફેલાવ્યા ફેક ન્યુઝ- જાણો અહિયાં"

Leave a comment

Your email address will not be published.


*