વધુ એક પરણીતાએ ગળાફાંસો ખાઈ જીવ આપી દીધો- દીકરીએ કહ્યું ‘મને ખુબ ત્રાસ આપે છે’ છતાં સાસરીયે મોકલી દીધી

રાજકોટના ધોરાજી માંથી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. એક યુવતીએ સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાય જીવ આપી દીધો છે. મળતી માહિતી અનુસાર 12…

રાજકોટના ધોરાજી માંથી ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. એક યુવતીએ સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાય જીવ આપી દીધો છે. મળતી માહિતી અનુસાર 12 જાન્યુઆરીના રોજ એક પરિણીત મહિલાએ સાસરિયાંઓના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંક આવી લીધું છે. ઘટના સામે આવતા પરિવારમાં કોહરમ મચી ગયો હતો. મૃતક મહિલાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે મૃતક મહિલાના પતિ, સાસુ સસરા, નણંદ નણદોઇ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

મૃતક મહિલાએ આપઘાત કરતા પહેલા, પોતાના ભાઈને મોબાઈલ નો પાસવર્ડ મોકલી દીધો હતો. જે મોબાઇલમાં પરણીતા એ આપઘાત પહેલા વિડીયો બનાવ્યો હતો. આ વીડિયોમાં મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તેનો ઉલ્લેખ કર્યો હતો. જાણવા મળ્યું છે કે, મૃતક મહિલાનું નામ વૈશાલી છે. વૈશાલીના લગ્ન વર્ષ 2021 માં જામખંભાળિયાના કોઠા વિસોત્રી ગામના અને હાલ ધોરાજીમાં રહેતા અનિલ સાથે થયા હતા.

લગ્નજીવન બાદ, પાંચ મહિના સુધી તો બધું સરખું હતું. પરંતુ જ્યારે વૈશાલી પોતાના પિયરમાં ગઈ ત્યારે વૈશાલીએ ઘરના સભ્યોને કહ્યું ‘મને સાસરિયાંઓ ખૂબ ત્રાસ આપે છે. સાસુ અને સસરા અવારનવાર રસોઈ બાબતે મહેણા ટોણા મારે છે. આટલું જ નહીં દર શનિ રવિમાં મારા નણંદ અને નણદોઈ ઘરે આવીને મહેણા ટોણા મારી મને હેરાન કરે છે.

વૈશાલી એ વધુમાં કહ્યું હતું કે, ‘મારા પતિ અનિલ પણ બીમારીના સમયે મને દવાખાને લઈ જતા નથી, અવારનવાર તે મારી પાસે પૈસાની માંગણી કરે છે. મારે કોઈ વસ્તુની જરૂર હોય તો મને રૂપિયા આપવાની જગ્યાએ મારી સાથે ઝઘડો કરે છે.’ દીકરી વૈશાલીની દરેક વાત સાંભળી માતા પિતાએ સમજાવીને વૈશાલીને પરત સાસરિયામાં મોકલી દીધી હતી.

ત્યારબાદ 25 દિવસ પછી, વૈશાલી પાછી પિતાના ઘરે આવી હતી. અને ફરીથી તેણે માતા પિતાને કહ્યું કે, હું બધું સહન કરી લઉં છું પરંતુ મારા સાસરીયા મને ત્રાસ આપવાનું બંધ નથી કરતા. અનિલ પણ અવારનવાર કહે છે કે, તું તારા બાપના ઘરેથી પાંચ લાખ લઈ આવ… આટલું જ નહીં નણંદ નિકિતા પણ કહે છે, કે મને મારા પપ્પાએ 30 તોલા સોનું આપ્યું, તું પણ તારા પપ્પા પાસેથી લેતી આવ.

જાણવા મળ્યું છે કે 12 ફેબ્રુઆરીના રોજ મૃતક વૈશાલીનો ભાઈ બીમાર હતો. તેથી તે સાંજે 8:30 વાગ્યે ઘરે આવીને સૂઈ ગયો, તે જ સમયે વૈશાલીના ફોનમાંથી એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે મારા મોબાઈલ ફોન નો પાસવર્ડ 5054 છે. મેસેજ આવતા ભાઈને શંકા ગઈ અને તરત જ તેની બહેન વૈશાલીને ફોન કર્યો. અનેક પ્રયાસો કર્યા પરંતુ વૈશાલી ફોન ઉપાડતી ન હતી. ત્યાર પછી ભાઈએ બનાવીને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું, હું નીચે સૂતો છું અને વૈશાલી ઉપરની રૂમમાં છે.

ત્યારબાદ થોડીક વાર પછી બનેવીનો ફોન આવ્યો કે વૈશાલી દરવાજો નથી ખોલતી. અને થોડીવાર પછી સમાચાર મળ્યા કે, વૈશાલીએ ગળાફાંસો ખાઈ લીધો છે. સમાચાર સાંભળતા જ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આપઘાત પહેલા વૈશાલી એ પોતાના મોબાઈલ પર અંતિમ વિડીયો અને મેસેજ લખ્યા હતા. હાલ પોલીસે સમગ્ર ઘટનાની જાણકારી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *