ડેન્ગ્યુ નાથવા માટે સુરત મનપા દ્વારા સપ્તાહમા એક દિવસ ડ્રાય ડે ની ઉજવણી :જાણો વિગતે

સુરત સહિત દક્ષિણ ગુજરાતમા છેલ્લા એક મહિનાથી વાતાવરણમા પલટો તથા કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ડેન્ગ્યુના કેસોમા ધરખમ વધારો જોવા મળ્યો છે. જે…

સુરત સહિત દક્ષિણ ગુજરાતમા છેલ્લા એક મહિનાથી વાતાવરણમા પલટો તથા કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે ડેન્ગ્યુના કેસોમા ધરખમ વધારો જોવા મળ્યો છે. જે રીતે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તેને લઇને આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે.

મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમા મળેલી બેઠકમા દર સપ્તાહના શનિવારના દિવસે દ્રાય ડે તરીકે ઉજવવાનું નક્કી કરવામા આવ્યુ છે. જે અંતર્ગત પહેલા જ શનિવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 4 હજાર જેટલા ઝુંપડાઓમા તપાસ કરવામા આવી હતી .

જ્યા પણ મચ્છર જન્ય જગ્યાઓ મળી હોય તેનો દવા છંટકાવ કરી કરવામા આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય કમિશનર, મેયર સહિતના પદાધિકારીઓ પોતાના વિસ્તારોમા જઇ ડેન્ગ્યુ કઇ રીતે ફેલાય છે ,તેમજ તેને કઇ રીતે અટકાવી શકાય તે અંગે લોકોને માહિતગાર કરી રહ્યા છે.

ડો.પ્રદિપ ઉમરીગર (આરોગ્ય અધિકારી)નું કેહવું છે “સામાન્ય રીતે ઘણા લોકો ડેન્ગ્યુ અંગે માહિતગાર હોતા નથી.જેથી  આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિસ્તારમા ફરી મચ્છર જન્ય પોરા કેવા દેખાવમા હોય છે, કઇ રીતે ફેલાય છે તે અંગે માહિતિ સાથે પેમ્પલેટ પણ વહેંચવામા આવી રહ્યા છે. પાછલા વર્ષની જો વાત કરીએ તો ડેન્ગ્યુના 2200 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો નોંધાયા હતા. જે પૈકી 268 લોકોને ડેન્ગ્યુ હતો . તો ચાલુ વર્ષે આ આંકડો વધીને 2300 પર પહોંચ્યો છે. જે પૈકી 270 લોકોને ડેન્ગ્યુ હોવાનુ બહાર આવ્યુ છે. ચાલુ વર્ષે નવેમ્બર માસની જો વાત કરીએ તો 390 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે તો તે પૈકી 70 જેટલા કેસો ડેન્ગ્યુ હોવાનુ બહાર આવ્યુ હતુ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *