જામનગરમાં 65 વર્ષીય વૃદ્ધને રખડતા ઢોરે ઢીંકે ચડાવતા મોત- જુઓ ઘટનાનો LIVE વિડીયો

રસ્તે રખડતા ઢોરો (Cattle)ના આંતકના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. ત્યારે વધુ એક ઘટના જામનગર (Jamnagar) શહેરમાંથી સામે આવી છે. અહીં, રખડતા ઢોરના…

રસ્તે રખડતા ઢોરો (Cattle)ના આંતકના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. ત્યારે વધુ એક ઘટના જામનગર (Jamnagar) શહેરમાંથી સામે આવી છે. અહીં, રખડતા ઢોરના આંતકના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે. આવી ઘટનાઓ અનેક વાર સામે આવવા છતાં મનપા તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે નિર્દોષ લોકો રસ્તે રઝળતા પશુઓનો ત્રાસનો ભોગ બની રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, શહેરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતા એક 65 વર્ષીય વૃધ્ધ વેપારી ગત સાંજે ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન ભરતભાઇ નામના વેપારીને ઘર નજીક જ વાણીયાવાડ વિસ્તાર પાસે રખડતા ઢોરે ઢીંકે ચડાવ્યા હતા. આથી માથાના ભાગે ઇજા સાથે બેશુદ્ર બની તેઓ ઢળી પડતા તુરંત જ સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા. જયાં સારવાર મળે એ પુર્વે જ તેમનુ મૃત્યુ નીપજ્યું હતું.

આવી ઘટનાઓ અનેક વાર સામે આવતી જ રહે છે. તેમજ આ રખડતા ઢોરોને કારણે કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે. આ બધી જાણ મનપાને હોવા છતાં તે કોઈ કાર્યવાહી કરતી નથી. માત્ર કાર્યવાહી કરી રહ્યા છે તિવા નાટકો કરે છે.

આ બાબતોને લઈને મનપા સામે ઘણા સવાલો ઉઠાવવામાં આવે છે. શા માટે મનપા તંત્ર માત્ર દેખાડા પુરતી કામગીરી કરે છે?, શા માટે ઢોરને રસ્તા પર છોડી દેનાર સામે ફોજદારી કાર્યવાહી નિયમો મુજબ કરવામાં  આવતી નથી?, સભ્યો રજૂઆત કરે તો પણ ધ્યાને લેવામાં આવતી નથી?, શા માટે મનપાનું તંત્ર આટલી હદે ઢોર જેવું બની ગયું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *