સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાંડેસરા વડોદ ગામની વિદ્યાર્થિનીનું ઝાડાં-ઉલટી બાદ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક સોનાલી છેલ્લા બે વર્ષથી પોતાના સબંધી ફુવા પાસે રહેતી હતી. શુક્રવારની રાત્રે 8 વાર ઝાડા-ઉલટી થયા બાદ ફુવા ઘર નજીકના ભુવા પાસે પીંછી મરાવી ઘરે લાવતા હતાં. આ દરમિયાન સોનાલીની તબિયત બગડી હતી. 108માં સિવિલ લાવવામાં આવેલી સોનાલીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સુરજ ઠાકોરએ જણાવ્યું હતું કે, સોનાલી અને તેના બે ભાઈ અને માતા-પિતા વતનમાં મજૂરી કરી રોટલો રળી ખાય છે. હું કલર ટેક્સમાં મજૂરી કામ કરુ છું અને પાંડેસરા કૃષ્ણા નગરમાં રહું છું. બે વર્ષ પહેલાં સોનાલીને ભણાવવા માટે સુરત લાવવામાં આવી હતી. શુક્રવારની રાત્રે 9 વાગે અચાનક ઉલટી કર્યા બાદ તેની તબિયત બગડી ગઈ હતી. ભુવા પાસે પીંછી મરાવી ઘરે આવ્યા બાદ તબિયત વધુ લથડી હતી
સવારે 5 વાગ્યા સુધી ઉલટી અને ઝાડાં હોવાથી તેને સવારે ઘર નજીક રહેતા એક ભુવા પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં ભુવાએ નસના ધબકારા ચેક કરી પાણી પીવડાવી અને પીંછી મારી ઘરે મોકલી આપી હતી. ઘરે આવ્યા બાદ સોનાલીની તબિયત વધુ બગડતા 108ની મદદથી સિવિલ લઈ જવામાં આવી હતી. જ્યાં સોનાલીને મૃત જાહેર કરવામાં આવી હતી.
વધુમાં જાણવા મળ્યું હતું કે, સોનાલી ધોરણ-4ની વિદ્યાર્થિની હતી. તે ઘર નજીકની સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી. તેના મોતના સમાચાર સાંભળી વતનમાં રહેતો પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. હાલ સોનાલીના મૃતદેહને સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ તેના મોતનું સાચું કારણ જાણવા પોલીસને જાણ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle
Be the first to comment on "સુરતમાં અંધશ્રધ્ધાએ લીધો માસુમનો ભોગ?- ભૂવા પાસે ગયા બાદ થયું એવું…"