ખોડલધામમાં યોજાનાર પાટોત્સવ વિશે નરેશ પટેલનું મોટું નિવેદન- રાજકારણમાં જોડાવવા અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ખોડલધામના નરેશ પટેલ ઝૂક્યા છે. વધતા કોરોના વચ્ચે પાટીદારોના ખોડલધામ મંદિરનો પાટોત્સવ થશે કે નહીં થાય, તે અંગે…

રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ખોડલધામના નરેશ પટેલ ઝૂક્યા છે. વધતા કોરોના વચ્ચે પાટીદારોના ખોડલધામ મંદિરનો પાટોત્સવ થશે કે નહીં થાય, તે અંગે મોટી અટકળો ચાલી રહી છે. ત્યારે હાલના સમયમાં આ સવાલો ઉપરથી પડદો ઊચકાયો છે. આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે બેઠક યોજી હતી. બાદમાં તેમણે પ્રેસ-કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવતાં કહ્યું હતું કે, ખોડલધામ મંદિરનો પાટોત્સવ થશે. દરેક શ્રદ્ધાળુઓ પાટોત્સવનો લાભ ઓનલાઇનના માધ્યમ દ્વારા લઇ શકશે. પાટોત્સવમાં હવે 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે. સમાજના લોકો ઓનલાઈનના માધ્યમથી આ કાર્યક્રમો નિહાળી શકશે. 400 લોકોમાં VIPને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે.

ઓનલાઇનના માધ્યમથી, દેશ-વિદેશથી ખોડલધામ પાટોત્સવના દર્શન કરી શકશે. તમને જણાવી દઈએ કે આવનારી 21 જાન્યુઆરીના રોજ લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધર્મસ્થાન એવા કાગવડના ખોડલધામ મંદિરના પાંચ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ત્યારે તેમના પાટોત્સવની લોકો રાહ જોઈ રહ્યા હતા. ૨૧ જાન્યુઆરીના રોજ, દરેક શ્રદ્ધાળુઓ ઓનલાઇન પટના માધ્યમ દ્વારા આ પાટોત્સવ લાઈવ નિહાળી શકશે.

ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવતાં કહ્યું હતું કે, કોરોનાને ધ્યાનમાં રાખીને લોકો ઘરે બેસીને પાટોત્સવનો લાભ લઇ શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને દરેક નિયમોનું પાલન કરીને, આ પાટોત્સવનું જીવંત પ્રસારણ કરાશે. પાટોત્સવ યોજવા બાબતે આ પહેલા પણ ઘણી બેઠકો બેઠી હતી, પરંતુ ગત શુક્રવારે નરેશ પટેલની હાજરીમાં દરેક ટ્રસ્ટીઓની બેઠક બોલાવી હતી. અને ખાસ પાટોત્સવ કેવી રીતે કરવો તે અંગેની મીટીંગ યોજવામાં આવી હતી. જો આ પાટોત્સવ ઓનલાઈન ન થયો હોત, તો આશરે ૨૦ લાખથી વધુ લોકો એકઠા થવાના હતા. પરંતુ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવે આ પાટોત્સવ ઓનલાઇન થશે અને લોકો ઘરેબેઠા જ લાભ લઈ શકશે.

અત્રે ઉલેખનીય છે કે, પાટોત્સવની 80 ટકા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા હતી, આથી નરેશ પટેલ છેલ્લા 4 મહિનાથી ગુજરાતભરમાં સમાજને આમંત્રણ આપવા માટે ભ્રમણ કરી રહ્યા હતા, પરંતુ કોરોનાએ માથું ઊંચકતાં પાટોત્સવ હવે મર્યાદિત સંખ્યામાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નરેશ પટેલે મહાયજ્ઞ વિશે જણાવતા કહ્યું કે, પહેલાં 108 કુંડી યજ્ઞનું આયોજન હતું, પરંતુ હવે એક જ હવનકુંડ દ્વારા મહાયજ્ઞ યોજાશે. મહાયજ્ઞ, મહાઆરતી અને સમાજ જોગ સંદેશ નિહાળવા માટે રાજ્યનાં અલગ અલગ સ્થળો પર મોટી સ્ક્રીન મૂકવામાં આવશે. અહીં પણ 400 લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ મુજબ એકઠા કરવામાં આવશે. કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે.

કાગવડના ખોડલધામ મંદિરમાં ખોડિયાર માતાજીની મૂર્તિની સાથે મા અંબા, મા બહુચર, મા આશાપુરા, મા વેરાઇ, મા મહાકાળી, મા અન્નપૂર્ણા, મા ગાત્રાળ, મા રાંદલ, મા બૂટભવાની, મા બ્રહ્માણી, મા મોમાઈ, મા ચામુંડા, મા ગેલ, મા શિહોરી, મા નાગબાઈ, મા હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

રાજકારણમાં પ્રવેશ મુદ્દે નરેશ પટેલની પ્રતિક્રિયા
બીજી તરફ રાજકારણમાં પ્રવેશ મુદ્દે નરેશ પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સમાજની લાગણી હશે તો રાજકારણમાં જોડાઇશ. આ અગાઉ અનેક લોકોએ મને રાજકારણમાં જોડાવવા માટે આગ્રહ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *