સાળી સાથે હતું લફરું- તો પત્ની અને પુત્રનું કાસળ કાઢી નાખ્યુ, જાણો કયાની છે ગોજારી ઘટના

લગ્ન પછી પતિ અથવા તો પત્નીને બીજાની સાથે પ્રેમ સંબંધ હોવાને લીધે પતિએ પત્નીની અથવા તો પત્નીએ પતિની હત્યા કર્યા હોવાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી…

લગ્ન પછી પતિ અથવા તો પત્નીને બીજાની સાથે પ્રેમ સંબંધ હોવાને લીધે પતિએ પત્નીની અથવા તો પત્નીએ પતિની હત્યા કર્યા હોવાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. ત્યારે આવી જ ઘટના રાજસ્થાનમાં આવેલ જયપુરમાં સામે આવી છે.

જેમાં લગ્ન પછી યુવકને પત્નીની બહેનની સાથે પ્રેમ થઈ જતા યુવકે તેના ભાઈ તથા પ્રેમિકા સાથે મળીને પત્ની તેમજ પુત્રની પણ હત્યા કરી નાંખી હતી. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી પણ શરૂ કરીને મહિલા તથા એક પુત્રના હત્યાનાં ગુનામાં મૃતક મહિલાના પતિ, દિયર તેમજ મહિલાની બહેનની પણ ધરપકડ કરીને કડકાઈથી પૂછપરછ પણ કરી હતી તથા પોલીસની તપાસમાં આ સમગ્ર હત્યાકાંડનાં ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો હતો.

રિપોર્ટ મુજબ રાજસ્થાનની રાજધાની જયપુરનાં કરધની વિસ્તારમાં સૂર્યનગર નાડીના ફાટકની પાસે રહેતી કુલ 38 વર્ષની અનિતા શર્મા તેમજ તેના માત્ર 14 વર્ષીય પુત્ર મયંક શર્માનો ઝેરી દવા પી લેવાને લીધે મોત થયુ હોવાની ઘટનામાં સામે આવ્યુ હતું.

25 જૂનના રોજ બનેલ ઘટનાની જાણ પોલીસને થતા તરત જ પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો હતો. સમગ્ર મામલામાં અનિતનો પતિ અનિલ શર્મા, પત્ની તેમજ પુત્રને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયો હતો. હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ ડૉક્ટરોએ આ બંનેને મૃત જાહેર પામ કર્યા હતા.

જેનાંથી આ સમગ્ર મામલામાં પોલીસે હત્યાની આશંકા દાખવીને તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો હતો.પોલીસની કાર્યવાહી દરમિયાન મૃતક મહિલા અનિતા શર્માનાં પતિ અનિલ શર્મા, અનિલના ભાઈ સુનિલ શર્મા તેમજ સાળી પૂજાની પણ ધરપકડ કરી હતી તથા ત્રણેયની કડકાઈથી પૂછપરછ પણ કરવામાં આવી હતી.

પોલીસની પૂછપરછમાં અનિલ શર્માએ નાનાભાઈ તેમજ પ્રેમિકાની સાથે મળીને પત્ની તેમજ પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી લીધી હતી. અનિલે પોલીસને જણાવતાં કહ્યું હતું કે, લગ્ન પછી તેને સાળી પૂજાની સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, પણ પૂજાનાં લગ્ન તો થોડા વર્ષ પહેલા થઇ પણ ગયા હતા.

તે લગ્ન બાદ પણ પતિની સાથે રહેતી ન હતી. જેથી અનિલને પૂજાની સાથે લગ્ન કરવા હતા, પણ પત્ની તેમજ પુત્ર પણ રસ્તા વચ્ચે કાંટા સમાન હતા એ માટે અનિલ શર્માએ તેના ભાઈ સુનિલને જ આ હત્યાકાંડમાં હાથો પણ બનાવ્યો હતો.

અનિલ શર્માએ તેમનાં નાના ભાઈ સુનિલને લાલચ આપી હતી કે, જો એ ભાભી તેમજ પુત્રની હત્યા કરવામાં મદદ કરશે તો તેના લગ્ન પણ કરાવી દેશે તેમજ 1 મકાન અને રૂપિયા પણ આપશે. મકાન, રૂપિયા તથા લગ્નની લાલચમાં આવીને સુનિલ શર્માએ અનિલની પત્ની તેમજ પુત્રને ઘેનની ગોળી પણ આપી દીધી.

સુનિલે આ ઘટનાને અંજામ આપવા માટે જે સમય અનિલ તથા પૂજા અજમેરમાં આવેલ એક હોટલમાં રોકાયા હતા ત્યારે જ ઘરે સુનિલે ભાભી તેમજ ભત્રીજાનાં ખાવામાં કુલ 13 ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. એટલે, કે ઊંઘની ગોળીવાળુ જમવાનું ખાધા પછી પણ પત્ની તેમજ પુત્રના શ્વાસ ચાલતા જ હતા.

તેથી પતિ તેમજ પૂજા રાત્રિનાં સમયે જ ઘરે આવ્યા હતા તથા અનિતા તેમજ પુત્રને પણ સિકંજીમાં સેલ્ફાસની ગોળીઓ ભેળવીને પીવડાવી દીધી હતી. જેના લીધે અનિતા તેમજ તેના પુત્ર મયંકનું પણ મોત નીપજ્યું હતું. ત્યારપછી આ સમગ્ર ઘટનાને અનિલે આપઘાતમાં બદલી દેવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

પણ, પોલીસને મળેલા પુરાવાને આધારે પોલીસને અનિલનાં નાના ભાઈ સુનિલ પર શંકા ગઈ હતી. જેથી, પોલીસે આ સમગ્ર મામલો આપઘાતનો નહીં પણ હત્યાકાંડનો હોવાની શંકા જતા પોલીસે અનિલ, સુનિલ તેમજ પૂજાની અટકાયત પણ કરી હતી તથા તેની કડકાઈથી પૂછપરછ પણ કરતાં સમગ્ર હત્યાકાંડનો ખુલાસો પણ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *