સુરત સિવિલમાં આવ્યું મહાકાય મશીન જેનાથી હવે કોરોના દર્દીઓને મળશે મોટી રાહત

Published on Trishul News at 9:15 PM, Mon, 6 July 2020

Last modified on July 6th, 2020 at 9:15 PM

કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટેના તમામ સાધન-સરંજામ પુરા પાડવામાં કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિના માર્ગદર્શન હેઠળ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૧૩૦૦૦ કિલો લિટરની અત્યાધુનિક ઓકિસજન ટેન્કનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું.

ઓકિસજન ટેન્ક થકી દર્દીઓને વધુ પુરતા પ્રમાણ ઓકિસજનનો પુરવઠો નિયમિત મળતો રહેશે. વડોદરા સ્થિત આઈનોકસ એર પ્રોડકટસ પ્રા.લિ. કંપની દ્વારા નિર્મિત આ ઓકિસજન ટેન્ક નર્સિંગ કોલેજની પાછળ સ્થાપિત કરવામાં આવી હતી. આ ટેન્ક દ્વારા વિના વિક્ષેપે ઓકિસજનનો ફલો સતત અને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે છે. ટેન્કમાં રહેલો ઓકિસજન રિઝર્વ લેવલ પર પહોંચે ત્યારે ટેન્કની ડિઝીટલ સીસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોચી જાય છે. જેનાથી કંપની દ્વારા રીફીલીગની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે છે. આ ટેન્કની કામગીરી આગામી બેથી ત્રણ દિવસમાં કાર્યરત થઈ જશે.

આ વેળાએ કોવિડ-૧૯ માટેના ખાસ ફરજ પર અધિકારીશ્રી મહેન્દ્ર પટેલ, ડો.નિમેશ વર્મા, સુપ્રિ. એન્જિનીયર શ્રી સી.પી.પટેલ, પી.આઈ.યુના અધિકારીઓ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "સુરત સિવિલમાં આવ્યું મહાકાય મશીન જેનાથી હવે કોરોના દર્દીઓને મળશે મોટી રાહત"

Leave a comment

Your email address will not be published.


*