દશામા વ્રત પૂર્ણ થતા તાપી શુદ્ધિકરણના અભિયાન અંતર્ગત કૃત્રીમ તળાવમાં વિસર્જન- વાંચો રીપોર્ટ

અષાઢ વદ અમાસથી શરૂ થયેલા દશામાના વ્રતની પૂર્ણાહૂતિ સમયે સુરતમાં તાપી નદીને મૂર્તિ વિસર્જિત કરાવવાને બદલે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાવીને સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના ‘ફ્રેન્ડ…

અષાઢ વદ અમાસથી શરૂ થયેલા દશામાના વ્રતની પૂર્ણાહૂતિ સમયે સુરતમાં તાપી નદીને મૂર્તિ વિસર્જિત કરાવવાને બદલે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાવીને સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના ‘ફ્રેન્ડ ઓફ પોલીસ મિત્ર’ ટીમ એ તાપી શુદ્ધિકરણની મુહીમને વેગ આપ્યો છે.

સુરતના કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર ધાંસુરાના માર્ગદર્શન હેઠળ ‘ફ્રેન્ડ ઓફ પોલીસ મિત્ર’ ટીમ એ ગઈકાલે દશામાં વ્રત પુર્ણાહુતી બાદ કરવામાં આવતા મૂર્તિ વિસર્જન ને વિનાવીઘ્ને પૂર્ણ કર્યું હતું. આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવ પણ આવી રહ્યો હોઈ દર વર્ષની માફક આ વર્ષે પણ તાપી શુદ્ધ રહે તે હેતુ થી તંત્ર દ્વારા તૈયાર કરતા કૃત્રિમ તળાવ માં જ મૂર્તિ વિસર્જિત કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

આ વિસર્જન દરમ્યાન કતારગામ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી, ફ્રેન્ડ ઓફ પોલીસ અને નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોએ પ્રશંશનીય કામગીરી કરી હતી. જે તમામનો કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર ધાંસુરા સાહેબ એ આભાર માન્યો હતો.

આ પણ વાંચો: પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા નહીં પરંતુ મહેંદી મુકવા પહોચી બાળકીઓ- જુઓ દ્રશ્યો

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ કતારગામ પોલીસ સ્ટેશનમાં જ અલુણા વ્રત દરમ્યાન કતારગામ પોલીસ સ્ટેશન અને નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ૨૦૦ થી વશું બાળકીઓને મહેંદી મૂકી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર પોલીસ સ્ટેશનના મહિલા અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *