સુરતમાં ગરીબોના હક્કનું સરકારી અનાજ ચોરી કરી વેચનાર ઝડપાયો- જુઓ કેવી રીતે કર્યું આ કામ

હાલમાં લોકડાઉનના સમયમાં ગુજરાત સરકાર સંચાલિત સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબ અને માધ્યમ વર્ગને રાશન આપવાનું શરુ છે. ત્યારે ગરીબોના હક્કનું આ અનાજ સગેવગે કરીને…

હાલમાં લોકડાઉનના સમયમાં ગુજરાત સરકાર સંચાલિત સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબ અને માધ્યમ વર્ગને રાશન આપવાનું શરુ છે. ત્યારે ગરીબોના હક્કનું આ અનાજ સગેવગે કરીને બારોબાર વેચી મારવાનું કારસ્તાન કરનાર ઝડપાતા સુરતમાં ચકચાર મચી છે. સુરતના ઇચ્છાપોર તરફ આવતા મોરા ગામની એક દુકાનદાર ગરીબો નું અનાજ સગે વગે કરનાર ઝડપાયો.

રેડ કરનાર મામલતદાર એ બાતમી ના આધારે રેડ કરી ગોડાઉન માંથી મોટી માત્ર માં અનાજ નો જથ્થો ઝડપી પાડ્યો, જે બાબતે મીડિયા સાથેની વાતચીતમાં મામલતદાર એ જણાવ્યું કે તેઓને આ માહિતી વોટ્સેપના માધ્યમથી મળી હતી. કે જ્યાં અનાજ સગેવગે થઇ રહ્યું હતું.

મામલતદારની ટીમ એ જયારે રેડ કરી ત્યારે મોરા ગામ ના પૃર્વ ડેપ્યુટી સરપંચ ભરત પટેલએ દુકાનદાર ને બચાવવા ધમપછાડા કરીને ફરજમાં અડચણો ઉભી કરી હતી.

દેશભરમાં એક બાજુ લોકડાઉન ને લઈ ને ગરીબો ને પૂરતું અનાજ નથી મળી રહ્યું તો બીજી બાજુ આ અનાજને સગેવગે કરીને કાળા બજારી કરનારને લોક ડાઉન ના બહાના કાઢી મોકળો માર્ગ મળી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *