સુરત મનપાએ 700 કરોડનો વેરો ઉઘરાવવાને બદલે 200 કરોડની લોન લઈને સુરતીઓને વધુ વેરો ભરવા મજબુર કર્યા

જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ સ્વરાજ અને મનપામાં થયેલી ગેરરીતિઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં ભાજપા સંચાલિત મનપા…

જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ સ્વરાજ અને મનપામાં થયેલી ગેરરીતિઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં ભાજપા સંચાલિત મનપા પર આમ આદમી પાર્ટીએ ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં દાવો કરાયો છે કે, SMC દ્વારા વેરા વસુલાતમાં ખાનગી કંપનીઓ, મોબાઇલ ટાવરો, બેકોં, મિલો અને પાર્ટી પ્લોટો પાસેથી બાકી વેરા ઉઘરાણામાં ભ્રષ્ટાચારના કારણે સામાન્ય જનતા પર વેરાનો બોજો વધ્યો છે.

આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેસ જાદવાણીએ સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આરટીઆઈ દ્વારા મેળવેલી માહિતીના પુરાવા આધારે સુરત મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા જણાવ્યુ હતુ કે…
SMC દ્વારા ક્યાં ઝોનમાં કેટલો વેરો વસુલવાનો બાકી છે:

જે અંતર્ગત ઉધના ઝોનમાં ૧૭.૧૨.૨૦૨૦ની તારીખ સુધી રૂપિયા ૧,૭૮,૭૫,૦૫,૬૦૫ નો વેરો વસુલવાનો બાકી છે. અઠવા ઝોનમાં તારીખ ૦૯.૧૨.૨૦૨૦સુધીમાં  ૮૬,૮૪,૪૭,૬૫૮ નો વેરો વસુલવાનો બાકી છે.રાંદેર ઝોનમા ૧૧.૧૨.૨૦૨૦ની તારીખ સુધીમાં ૩૪,૯૫,૬૫,૫૩૯ નો વેરો વસુલવાનો બાકી છે.

જયારે વરાછા ઝોન-એની વાત કરીએ તો તારીખ ૧૦.૧૨.૨૦૨૦ સુધીમાં ૬૯,૭૮,૮૪,૮૭૪ નો વેરો વસુલવાનો બાકી છે. વરાછા ઝોન-બીમાં તારીખ ૧૪.૧૨.૨૦૨૦ સુધીમાં ૩૯,૬૪,૩૭,૧૮૧ નો વેરો વસુલવાનો બાકી છે. એજ રીતે ૬:લિંબાયત ઝોનમાં તારીખ ૧૭.૧૨.૨૦૨૦ સુધીમાં ૮૭,૧૬,૧૧,૬૩૧ નો વેરો વસુલવાનો બાકી છે.

કતારગામ ઝોનમાં તારીખ ૨૦.૧૨.૨૦૨૦સુધીમાં ૮૮,૩૫,૮૧,૦૧૨ નો વેરો વસુલવાનો બાકી છે. તેવી રીતે જ સેન્ટ્રલ ઝોનમાં તારીખ ૧૬.૧૨.૨૦૨૦ ૧,૪૬,૮૪,૫૧,૩૦૫ નો વેરો વસુલવાનો બાકી છે. આમ કુલ બાકી વેરો ૭,૩૨,૩૪,૮૪,૮૦૬ થાય છે. આમ, સુરત મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર અને મિલીભગત કરીને ૭૩૨ કરોડ ૩૪ લાખ ૮૪ હજાર ૮૦૬ રૂપિયા વેરો ઉઘરાવવાનો બાકી રાખેલ છે.

આ વેરો સામાન્ય જનતા પાસેથી જ નહી પણ મોટી કંપનીઓ અને ટેનામેન્ટ પાસેથી નથી ઉઘરાવવામાં આવ્યો તેની વિગત પણ આપવામાં આવી હતી. જે અંતર્ગત,

મોબાઇલ ટાવરોના બાકી વેરા રૂપિયા ૭૮,૮૫,૯૮,૪૩૪, જ્યારે ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શીયલ કંપનીઓ પાસેથી બાકી વેર ૧૩,૯૬,૫૮,૮૯૫ રૂપિયા, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પાસેથી બાકી વેરા ૩,૮૪,૧૭,૪૦૧ રૂપીયા, બેન્કો પાસેથી બાકી વેરા ૧,૨૪,૯૩,૫૭૭ રૂપિયા, અલગ અલગ ટેનામેન્ટ (રેસિ./કોમ.) ૬૩૪,૪૩,૧૬,૪૯૯નો વેરો બાકી છે.

આ વચ્ચે વર્ષ ૨૦૧૬-૧૭ ની સરખામણીમાં ૨૦૨૦-૨૧ માં ૩૦૮% નો વેરો થયો, જયારે વર્ષ ૨૦૧૬-૧૭ ની સરખામણીમાં ૨૦૧૮-૧૯ માં ૧૧૬% નો વેરામા વધારો કર્યો. ટૂંકમાં SMC એ ૭૩૨ કરોડનો વેરો ઉઘરાવવાનો બાકી છે તે ઉઘરાવવાના બદલે ૨૦૦ કરોડની લોન લઇને સુરતની જનતાને દેવાદાર બનાવેલ છે.

વર્ષ ૨૦૧૬-૧૭ ની સરખામણીમાં ૨૦૨૦-૨૧ માં ૨૦૮% નો વેરામા વધારો કર્યો, તેની સામે ૨૦૧૬-૧૭ થી ૨૦૧૯-૨૦ સરખામણીમાં વેરાની ઉઘરાણીમાં અદાંજીત ૧૪૫% નો વધારો થયો છે. ઉપરોક્ત વિગતો જોતાં વેરા ઉઘરાણીમાં ૬૩% નું ગાબડું પડે છે.

વધુમાં જાદવાણીએ જણાવ્યું હતુ કે, આટલી મોટી માતબર રકમ SMC દ્વારા વસુલાતમાં બાકી છે જેનો ભોગ સામાન્ય અને ગરીબ લોકો બની રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે જે SMC દેશની ધનાઢ્ય કોર્પોરેશન ગણાતી તે SMC આ ભાજપ શાસકોના અણધડ નિર્ણય, તઘલખી વહિવટ અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ૨૦૦ કરોડની લોન લઈને દેવાદાર બની ગઈ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *