સુરત આગ ની ઘટનામાં આ વ્યક્તિ ન હોત તો મૃત્યુઆંક ૩૦ ને પાર હોત- વાંચો અહી

સુરતમાં જકાતનાકા વિસ્તાર માં તક્ષશિલા બિલ્ડીંગ માં ચોથા માળ પર કલાસીસ માં ભયાનક આગ લાગી હતી એ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી…

સુરતમાં જકાતનાકા વિસ્તાર માં તક્ષશિલા બિલ્ડીંગ માં ચોથા માળ પર કલાસીસ માં ભયાનક આગ લાગી હતી એ અંગે જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 10 જેટલી ફાયરની ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.જો કે આ આગ ની ઘટના માં 18 થી વધારે બાળકો ના મૃત્યુ થયા ના સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે.

તક્ષશિલા બિલ્ડીંગ માં આગ લાગવા સમયે એક યુવાન એ પોતાનો જીવ જોખમ માં મૂકીને બે વિદ્યાર્થીઓ ના જીવ બચાવ્યા હતા.આવા ભયાનક સમય માં પોતાની સૂઝબૂજ ગુમાવ્યા વગર આ વ્યક્તિએ કરેલા કાર્ય ના લીધે અસલી હીરો બન્યો હતો.સુરત ના આ અસલી હીરોએ પોતાનો જીવ જોખમ માં મૂકીને બીજા માળેથી આગ થી બચવા કુદતા બાળકો ને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો.

આ યુવાન જેને જીવ જોખમ માં મૂકી ને પણ બાળકો ના જીવ બચાવવા પ્રયાસ કરનાર યુવાન નું નામ કેતન નારણભાઇ જોરવાડિયા છે અને આ યુવાને બે લોકોના જીવ પણ બચાવ્યા અને પોતાના જીવ ને જોખમ માં મૂકી બાળકો ને બચાવવા પ્રયાસો કર્યા હતા.સુરતના અસલી હીરો કેતને જણાવ્યું કે, આગ લાગવાની ઘટના સમયે મે જોયુ કે બાળકો બચવા કૂદકો લગાવી રહ્યા છે તો મે બીજા માળે જઈ તેમને બચાવવાની કોશિસ કરી. બે બાળકોને ઉપરથી ઉતારવામાં સફળ રહ્યો.

ઉલ્લેખનીય છે કે, આગની આ ઘટનામાં 13થી વધુ વિદ્યાર્થીઓ આગમાં બળીને ખાખ થયા હતા. જ્યારે પોતાનો જીવ બચાવવા માટે રીત સરના ચોથા માળેથી નીચે કૂદકા માર્યા હતા.એમાંથી 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. આમ કુલ મૃત્યુઆંક 20 પહોંચી ગયો છે.પોતાના વ્હાલસોયા બાળકોના મોતના પગલે વાલીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કૂય ઓપરેશન હાથધરાયું હતું. ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *