હેવાનિયતનો ધ્રુજાવી દેતો કિસ્સો- શાકભાજી કાપવાની ચપ્પુથી પત્ની અને દીકરાને ચીરી નાખ્યા

બ્રિજેશે અનૈતિક સંબંધ હોવાની શંકામાં પત્ની અને પુત્રની હત્યા કરી હતી. મૃતકની પત્નીનું નામ અંજલિ છે. હત્યારાનો પુત્ર રિતિક માત્ર દોઢ વર્ષનો હતો. પોલીસની પૂછપરછમાં…

બ્રિજેશે અનૈતિક સંબંધ હોવાની શંકામાં પત્ની અને પુત્રની હત્યા કરી હતી. મૃતકની પત્નીનું નામ અંજલિ છે. હત્યારાનો પુત્ર રિતિક માત્ર દોઢ વર્ષનો હતો. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બ્રિજેશને તેની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધ હોવાની શંકા હતી. તે લાંબા સમયથી આ અંગે ચિંતિત હતો, પરંતુ તેણે તેની પત્ની સાથે ક્યારેય આ અંગે ચર્ચા કરી ન હતી. જ્યારે બ્રિજેશનો ગુસ્સો કાબૂમાં ન રહી શક્યો તો તેણે તેની પત્ની અને બાળકની હત્યા કરી નાખી.

દેશની રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સિંગલ નહીં પણ ડબલ મર્ડર છે. અનૈતિક સંબંધની આશંકાથી એક પાગલ વ્યક્તિએ પત્ની અને માસૂમ પુત્રની છરીના ઘા મારીને હત્યા કરી નાખી અને તે પછી પોતે જ પોલીસને ફોન કર્યો. સમાચાર મળતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના શુક્રવારે રાત્રે ઉત્તર પશ્ચિમ દિલ્હીના શકુરપુર વિસ્તારમાં બની હતી.

બ્રિજેશ તેના પરિવાર સાથે બલ્બ હોલ્ડર બનાવવાનું કામ કરે છે. આરોપીએ હત્યા કરવા માટે શાકભાજી કાપવા છરીનો ઉપયોગ કર્યો હતો. હત્યા બાદ બ્રિજેશે પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે તેણે તેની પત્ની અને બાળકની હત્યા કરી છે. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *