આસિત મોદીએ દયાભાભીને લઈને આપ્યા સૌથી મોટા ખુશીના સમાચાર- જાણો અહીં

તારક મહેતાના ઉલટા ચશ્મા શોની લોકપ્રિયતા પાછળનું એક મોટું કારણ શોમાં કામ કરનારા કલાકારો અને તેમનો ધમાકેદાર અભિનય છે. જ્યારે શોના પ્રિય પાત્ર એટલે કે,…

તારક મહેતાના ઉલટા ચશ્મા શોની લોકપ્રિયતા પાછળનું એક મોટું કારણ શોમાં કામ કરનારા કલાકારો અને તેમનો ધમાકેદાર અભિનય છે. જ્યારે શોના પ્રિય પાત્ર એટલે કે, દયાબેન એટલે દિશા વાકાણીના પરત ફરવા અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી છે.

પરંતુ સ્પષ્ટપણે કંઇ બહાર આવ્યું નથી. આ દરમિયાન દિશાએ શો છોડવાના અહેવાલોની વચ્ચે, નિર્માતાએ એમ પણ કહ્યું હતું કે દિશા જલ્દી શોમાં જોવા મળશે. હાલમાં આ બધા સમાચારોની વચ્ચે શોના નિર્માતાનું નિવેદન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.

ખરેખર, દિશા વાકાણીના ચાહકો આતુરતાથી તેના પરત આવવાની રાહ જોઇ રહ્યા છે. આ અંગે નિર્માતા અસિત મોદીએ કહ્યું છે કે, “પ્રમાણિકતાથી કહું તો હું પણ હૃદયથી ઈચ્છું છું કે મૂળ દયાબેન એટલે કે દિશા વાકાણી શોમાં પરત આવે અને તે માટે હું અને મારી આખી ટીમ પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે.”

અસિત મોદીએ વધુમાં કહ્યું કે, ‘દિશાને એક બાળક થયા પછી, અમે વિચાર્યું કે તે મોટું થઇ જાય અને તેમને મધરહૂડ એન્જોય કરવાનો સમય આપવો જોઇએ. અમને આ સાથે કોઈ સમસ્યા ન હતી. જોકે ફેન્સ તેની વાપસીની રાહ જોઈ રહ્યા હતા. હવે હું પણ સંમત છું કે શોમાં દયાબેનની જરૂર છે. આ કોવિડના સમયમાં અમે પણ અટવાઈ ગયા છીએ, પરંતુ તમને એક કે બે મહિનામાં સારા સમાચાર મળશે. ‘

અસિત મોદીએ એમ પણ કહ્યું કે, ‘જે પ્રેમ દિશાને દયાબેનના રૂપમાં મળ્યો હતો તે મળવો ખૂબ મુશ્કેલ છે. મને લાગે છે કે દિશા ચાહકોના પ્રેમનું સન્માન કરશે અને પાછા આવવાનું વિચારશે. જોકે, દિશા પાછા ન આવવા પાછળ કારણ આપે છે, તો હું તે માટે પણ એક નિરાકરણ શોધી શકું છું.

અસિત વધુમાં કહે છે કે, ‘હવે દયાબેનને શોમાં લાવવા જ પડશે. હાલ અમે કોવિડના સમયમાં થોડી કાળજી લઈએ છીએ, પરંતુ માહોલ થોડો સુધરતાંની સાથે જ દયાબેન પણ પાછા આવશે. હવે એ જોવાનું રહેશે કે, દિશા વાકાણીની એન્ટ્રી થશે કે નવો ચહેરો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *