લાંબા સમય પછી તારક મહેતા શોમાં પરત ફરશે દયાભાભી- આવ્યા આ ખુશીના સમાચાર

આપને સૌ જાણીએ છીએ કે,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લાં ત્રણ વર્ષથી દયાભાભી એટલે કે દિશા વાકાણી જોવા મળી નથી. છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા થઈ…

આપને સૌ જાણીએ છીએ કે,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લાં ત્રણ વર્ષથી દયાભાભી એટલે કે દિશા વાકાણી જોવા મળી નથી. છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા થઈ રહી છે કે, દિશા વાકાણી પરત આવે છે પરંતુ છેલ્લી ઘડીએ કોઈક કારણોસર તે શોમાં પરત આવી નથી. જોકે, હાલના જ એક એપિસોડમાં દિશા વાકાણી પરત આવશે, તેવો સંકેત આપવામાં આવ્યો છે.

હાલમાં જ એક એપિસોડમાં દયાભાભીનો ભાઈ સુંદર અમદાવાદથી મુંબઈ આવે છે. સુંદર દ્વારા પોતાના જીજાજી જેઠાલાલને દયાભાભીનો પત્ર આપવામાં આવે છે. આટલું જ નહીં સુંદર એમ પણ કહે છે કે, તેની બહેન એટલે કે દયા ટૂંક સમયમાં જ અમદાવાદથી મુંબઈ આવશે.

એક ચર્ચા એવી પણ થઇ છે કે, કોરોનાને કારણે દિશા વાકાણી શોમાં પરત આવ્યા નથી. દિશા વાકાણીની દીકરી સ્તુતિ નાની હોવાથી તેમણે ઘરે રહેવાનું પસંદ કર્યું હતું. જોકે, હવે ન્યૂ નોર્મલ સાથે જીવન ફરી પાટે ચઢી રહ્યું છે. ત્યારે દિશા વાકાણીએ શોમાં પરત આવવાનું વિચાર્યું હોય તેમ લાગે છે.

જાણવા મળ્યું છે કે, સિરિયલમાં દયાભાભીની ગ્રાન્ડ એન્ટ્રી બતાવવામાં આવશે. માનવામાં આવે છે કે, મેકર્સે દયાભાભી પર જ સિરિયલનો આખો ટ્રેક નક્કી કર્યો છે અને તેમનું ભવ્ય સ્વાગત થશે. દિશા વાકાણીએ પ્રોડ્યૂસરની શરતો પર કામ કરવાની ના પાડી ત્યારે આસિત મોદી દ્વારા એપ્રિલ, 2019માં દયાભાભીના રોલમાં નવી એક્ટ્રેસ આવશે અને તેના ઓડિશન શરૂ થઈ ગયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. દયાભાભીના પાત્ર માટે ઓડિશન પણ શરૂ કરવામાં આવ્યા હતાં. જોકે, ઓડિશનમાં એક પણ એક્ટ્રેસિસ ફાઈનલ કરવામાં આવી નહોતી.

દિશાએ 2017માં ઓક્ટોબરમાં 6 મહિનાની મેટરનિટી લિવ લીધી હતી. જોકે, છ મહિના બાદ પણ દિશા શોમાં પરત ફરી નહોતી. દિશા તેની દીકરી સ્તુતિનાં ઉછેર પર ધ્યાન આપવા માગતી હોવાથી તે શોમાં પરત ફરી નહોતી. ત્યારબાદ એવી પણ ચર્ચા થઇ હતી કે દિશાએ પૈસાની વધુ માગણી કરી હતી અને ટાઈમિંગને લઈને પણ વાત કરી હતી.

તે દરમિયાન સિરિયલના પ્રોડ્યૂસર આસિત મોદીએ આ તમામ શરતો સ્વીકારવાની ના પાડી દીધી હતી. જેને લઈને આસિત મોદી તથા દિશા વચ્ચે વિવાદ પણ થયો હતો. વિવાદના થોડો સમય પછી એમ કહેવાતું હતું કે, દિશા વાકાણીએ આસિત મોદીના પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સમાં સંપર્ક કર્યો હતો અને શોમાં પરત આવવા માટે વાત કરી હતી. જોકે, ત્યારબાદ પણ દિશા શોમાં પરત આવી નહોતી. હવે, જોવાનું એ છે કે આ વખતે દિશા વાકાણી શોમાં પરત આવે છે કે નહીં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *