સુશાંત બાદ વધુ એક અભિનેત્રીએ ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા, 26 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

વર્ષ 2020માં સિનેમા જગત માટે ખુબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ઘણા સ્ટાર્સે વિશ્વને અલવિદા કહ્યું છે. કોઈ વ્યક્તિનું જીવન માંદગી…

વર્ષ 2020માં સિનેમા જગત માટે ખુબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે ઘણા સ્ટાર્સે વિશ્વને અલવિદા કહ્યું છે. કોઈ વ્યક્તિનું જીવન માંદગી દ્વારા છીનવી લેવામાં આવ્યું, ત્યારે કોઈએ આત્મહત્યા કરીને જીવન સમાપ્ત કર્યું. 9 સપ્ટેમ્બરે તેલુગુ ટીવીની દુનિયામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું જ્યારે અભિનેત્રી શ્રાવણીની આત્મહત્યાના અચાનક સમાચાર આવ્યા છે. આ પછી, તેના ચાહકો અને સાથી સ્ટાર્સ દુ:ખમાં ડૂબી ગયા. નોંધપાત્ર વાત એ છે કે, એક દિવસ પહેલા એટલે કે 8 સપ્ટેમ્બરે દક્ષિણ ભારતીય સિનેમા અભિનેતા જયપ્રકાશ રેડ્ડીનું પણ અવસાન થયું છે.

હાલમાં શ્રાવણીની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. જોકે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવંગત અભિનેત્રીના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, દેવરાજ રેડ્ડી તેને હેરાન-પરેશાન કરી રહ્યો હતો જેના કારણે શ્રાવણીએ આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દેવરાજે શ્રાવણીને હેરાન કરી હતી, જેની અભિનેત્રીએ આ દુનિયાને અલવિદા કહ્યું હતું.

મળતી માહિતી મુજબ, અભિનેત્રીએ મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી હતી. તે પીએસ મથુરા નગર એસાર નગર હૈદરાબાદમાં એચ 56 બ્લોકના બીજા માળે રહેતી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉસ્માનિયા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. હાલમાં અભિનેત્રીના પરિવારે દેવરાજ રેડ્ડી સામે એપ્સન નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે જ શ્રાવણીના ભાઈએ આરોપીઓને કડક સજા આપવાની વાત કરી છે.

નોંધપાત્ર વાત એ છે કે, શ્રાવણી છેલ્લા આઠ વર્ષથી તેલુગુ કાર્યક્રમોમાં અભિનય કરી રહી છે. શ્રાવણીની હિટ લિસ્ટમાં ‘મૌનરામમ’ અને ‘મનસુ મમતા’ જેવી ઘણી સિરિયલો શામેલ છે. શ્રાવણી હાલમાં સીરીયલ ‘મનસુ મમતા’ માં જોવા મળી હતી. શ્રાવણીના અવસાન બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *