પરણિત પ્રેમિકાએ શરીર સુખ માણવાની ના પાડી તો, ઉશ્કેરાયેલા પ્રેમીએ કુહાડીથી મા દીકરાને પતાવી દીધા

બનાસકાંઠા(ગુજરાત): આજકાલ હત્યા તો જાણે લોકો માટે એક ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અમુક પ્રેમ સંબંધમાં તો અમુક રૂપિયાની લેણી-દેણીના કિસ્સા હત્યા…

બનાસકાંઠા(ગુજરાત): આજકાલ હત્યા તો જાણે લોકો માટે એક ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અમુક પ્રેમ સંબંધમાં તો અમુક રૂપિયાની લેણી-દેણીના કિસ્સા હત્યા સુધી પહોચી જતા હોય છે. આ દરમિયાન, બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલી મેઢાળા ગામે ચાર દિવસ અગાઉ માતા-પુત્રની હત્યાનો ગુનો પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ ઉકેલવામાં આવ્યો છે.

જાણવા મળ્યું છે કે, અનૈતિક પ્રેમ સંબંધ અને પૈસાની લેતી દેતી મામલે પ્રેમીએ જ પ્રેમિકા અને તેના પુત્રની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસ દ્વારા હત્યારા પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યાના દિવસે મહિલાનો પ્રેમી તેના ઘરે આવ્યો હતો અને શારીરિક સંબંધ બાંધવાની વાત કરી હતી. મહિલાએ ઇન્કાર કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને હત્યા કરી નાખવામાં આવી હતી. આ વખતે મહિલાનો પુત્ર આવી જતાં તેની પણ હત્યા કરી નાખી હોવાનું સામે અવાયું છે.

મળતી માહિતી મુજબ, થરાદ તાલુકાના મેઢાળા ગામે ચાર દિવસ અગાઉ માતા-પુત્રની હત્યા થઇ હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઈ હતી. જેમાં, મેઢાળા ગામે રહેતા ઇસરા પટેલ મજૂરી કામે ગયો હતો, મોડી સાંજે પરત આવતા પોતાના ઘરમાં પત્ની સીતા અને 13 વર્ષીય પુત્ર પરેશની હત્યા કરાયેલી લાશ જોતાં જ તે હેબતાઈ ગયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકોને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસ દ્વારા અજાણ્યા હત્યારા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા હત્યારાને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, પરબત પટેલ નામના શખ્સ પર શંકા જતા તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ પરબતે પોતે જ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

પરબત પટેલ છેલ્લા દોઢ વર્ષથી મૃતક સીતાબેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. જયારે હત્યા કરવામાં આવી તે દિવસે તે મૃતક પ્રેમિકાના ઘરે ગયો હતો. પરબતે સીતા નજીક શરીરસુખ તેમજ પૈસાની માંગણી કરી હતી. જોકે, તે સમયે મૃતકે ના પાડતાં આરોપી પરબત ઉશ્કેરાઈ ગયો હતો અને કુહાડીના ઘા મારી પ્રેમિકા સીતાની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.

આ દરમિયાન, સીતાનો પુત્ર શાળાએથી ઘરે આવ્યો હતો. તેણે હત્યા કરતાં જોઈ જતા નરાધમે સીતાના માસૂમ પુત્રની પણ કુહાડીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી. પરબતે ગુનો કબૂલી લીધા બાદ પોલીસ દ્વારા તેની અટકાય કરી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *