દિલ્હી ચૂંટણીમાં બેકાર નહી જાય બીજેપીની સખત મહેનત, આ રીતે મળ્યો ફાયદો

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના પરિણામથી માલૂમ પડી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ફરી વખત દિલ્હીમાં સરકાર બનાવવા જઇ રહી છે. તેમજ ભારતીય…

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના પરિણામથી માલૂમ પડી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ફરી વખત દિલ્હીમાં સરકાર બનાવવા જઇ રહી છે. તેમજ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ પહેલા કરતાં સારી દેખાઈ રહી છે. જોકે તે સત્તા મેળવવા માટે પૂરતી નથી.

વિવિધ એજન્સીઓ ના એક્ઝિટ પોલ અનુસાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 59 થી 68 અને બીજેપી ને 2 થી 11 સીટો પર જીત મળવાની આશા છે. પરંતુ આજે પાના મતની ટકાવારીમાં વધારો થયો છે. એક્ઝીટ પોલના અનુસાર આમ આદમી પાર્ટીને 56%, બીજેપીને 35 % અને કોંગ્રેસને 5% વોટ મળવાનું અનુમાન છે. 2015ના વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને 54%, બીજેપીને 32% અને કોંગ્રેસને 10% વોટ મળ્યા હતા.

એક્ઝિટ પોલ અનુસાર એટલું તો નક્કી છે કે બીજેપીએ દિલ્હી ચૂંટણી પ્રચારમાં જે રીતે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી તે નકામી નથી ગઈ. પાર્ટીની મહેનતના કારણે વોટની ટકાવારી માં વધારો થયો છે. જોકે વોટની ટકાવારી વધી છે પરંતુ તે સીટોમાં નથી પરિણામી.

મનોજ તિવારીનો દાવો

વોટ શેર વધારવાને લઇને બીજેપી ઉત્સાહિત છે. એટલા માટે હવે પછી તેને લઈને તેનો ભરોસો વધ્યો છે.એક્ઝિટ પોલ હનુમાન આવ્યા બાદ દિલ્હી બીજેપી અધ્યક્ષ નો દાવો કર્યો છે કે તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે.તેમણે ટ્વિટ કર્યું કે 11 ફેબ્રુઆરીએ મતદાન ના પરિણામ આવ્યા બાદ તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. બીજેપી એકલી દિલ્હીમાં 48 સીટો લાવવા જઇ રહી છે. એવીએમને કારણ બનાવવાનું બહાનું અત્યારથી ન શોધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *