“અચ્છે દિન આ ગયે” જાણો એવું થઇ ગયું કે મોદી રાજીને રેડ થઇ ગયા- જાણો વિગતે

Published on Trishul News at 4:30 PM, Wed, 5 February 2020

Last modified on February 5th, 2020 at 4:30 PM

જયારે મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતનો ખુબ સારો વિકાસ કર્યો હતો અને ત્યાર બાદ પ્રધાનમંત્રીની ચુંટણી આવી ત્યારે આખા ભારત દેશની પ્રજાએ તેમને પ્રધાનમંત્રીના પદે બેસાડ્યા. પણ પરીસ્થિતિ એવી છે કે “અચ્છે દિન આયેગે, અચ્છે દિન આયેગે” આવી વાતો કરનાર મોદી સરકાર ધીમે ધીમે દરેક રાજ્યો ગુમાવી રહી છે.

ભારત પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (FDI) માટે પસંદગીનું સ્થળ બનેલું રહ્યું છે. આજે સસંદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ ભારતમાં FDI વાર્ષિક સરખામણીએ વધ્યું છે અને ચાલુ નાણાંકીય વર્ષે નવેમ્બર સુધીમાં 34.90 અબજ ડોલરનું FDI દેશમાં આવ્યું છે.

રાજ્યકક્ષાના નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં આજે રજૂ કરેલા આંકડા મુજબ ભારતમાં સમગ્ર નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન 62 અબજ ડોલર, વર્ષ 2017-18માં 60.90 અબજ ડોલર, વર્ષ 2016-17માં 60.22 અબજ ડોલરનું સીધુ વિદેશી મૂડીરોકાણ નોંધપાત્ર રહ્યું હતું. જે ખુબ સારી વાત છે.

સાથે-સાથે તેમણે જણાવતા કહ્યું કે, વૈશ્વિક સ્તરે FDIના મૂડીપ્રવાહમાં સંકોચ આપવવા છતાં પાછલા વર્ષે ભારત ખાતે વિદેશી મૂડીરોકાણ નોંધપાત્ર વધીને 62 અબજ ડોલરે પહોંચ્યું હતું જે નાણાંકીય વર્ષ 2018-19ની કુલ GDPના 2.37 ટકા બરાબર છે.

વધારે કહેતા જણાવ્યું હતું કહ્યું કે, દરેક ક્ષેત્રમાં સફળતાનું પ્રતિબિંબ FDIના મૂડીપ્રવાહમાં વધારો અને ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશનમાં વૃદ્ધિ દેખાય છે, ભારત સરકાર દ્વારા લેવાયેલા તમામ પ્રોત્સાહક પગલાંથી સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન મળ્યું છે. સરકારે ઇઝી ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો કરવા, FDIની નીતિમાં વ્યાપક સુધારણા, ઇન્સોલ્વન્સ અને બેન્કરપ્સી કોડ-2016 સહિતના વિવિધ પગલાં બાદ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "“અચ્છે દિન આ ગયે” જાણો એવું થઇ ગયું કે મોદી રાજીને રેડ થઇ ગયા- જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*