કોરોનાની બીજી લહેર ઘાતકી બનતા ગુજરાત રાજ્યમાં થયા આટલા ડોક્ટરોના મોત, જાણો આંકડો

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે કોરોનાની બીજી લહેર ખુબ ઘાતકી બનવાથી રાજ્યભરમાં ડોકટરો પણ આ કોરોના વાયરસના ભરડામાં આવી ચુક્યા છે, જે ખુબ જ ગંભીર બાબત કહી શકાય. કોરોનાની બીજી લહેરમાં તમામ પ્રકારના વર્ગના લોકો કોરોનાના સંકજામાં આવી ચુક્યા છે. લોકોના જીવ બચાવનાર ડોકટરો પણ હવે બાકી રહ્યા નથી. ખતરનાક બીજી લહેરમાં દેશના કેટલાય ડોકટરોના મોત થયા છે જેમના આંકડા ઈન્ડીયન મેડિકલ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

ઈન્ડીયન મેડિકલ એસોસિએશન(IMA)ના જણાવ્યા અનુસાર કોરોના વાયરસની બીજી લહેરમાં દેશમાં કુલ 646 ડોક્ટરોના મોતને ભેટ્યા છે. જેમાં સૌથી વધુ 109 જેટલા ડોકટરોએ કોરોના વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જયારે અન્ય રાજ્યમાં જેમ કે બિહાર રાજ્યમાં 97, યુપી રાજ્યમાં 79, રાજસ્થાન રાજ્યમાં 43, ઝારખંડ રાજ્યમાં 39 અને આંધ્રપ્રદેશ રાજ્યમાં 35, તેલંગાણા રાજ્યમાં 34, પશ્ચિમ બંગાળ રાજ્યમાં 30 જેટલા ડોક્ટરોના મોત થયા છે.

જયારે ગુજરાત રાજ્યમાં કુલ 37 ડોક્ટરોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાની પહેલી લહેરમાં 748 જેટલા ડોક્ટરોના મોત થયા હતા. ઈન્ડીયન મેડિકલ એસોસિએશ(IMA)ના એક ડોકટરના જણાવ્યા અનુસાર ગત વર્ષના રોજ સમગ્ર દેશમાં કોરોનાને કારણે 748 ડોક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જયારે કોરોનાની બીજી લહેરમાં 624 ડોક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

કોરોનાની જંગમાં ભારત જીત તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં જુન મહિનામાં હવે રાહત જોવા મળી રહી છે. અંદાજે 2 મહિના બાદ કોરોનાના નવા કેસોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. જયારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 લાખ 20 હજાર નવા કેસો સામે આવ્યા છે. જે ગયા બે મહિના કરતા ઓછા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *